હું રેમ્બો નથી કે ઉડીને બિહારીઓને બચાવી લાવું: નીતિશ કુમાર

ઉત્તરાખંડના પૂરમાં ફંસાયેલા ગુજરાતના લોકોને ગુજરાત સરકારની મદદથી સુરક્ષિત પોતાના ઘરે પહોંચા઼ડી દેવામાં આવ્યા, પરંતુ આ આખા મામલામાં બિહાર સરકારનું વલણ ખૂબ જ સંવેદનહીન રહ્યું.
બિહારના જે લોકો ઉત્તરાખંડની વિપદામાં ફસાયેલા હતા, બિહાર સરકારે એકવાર પણ તેમનો હાલ-ચાલ પૂછવાની કોશિશ પણ કરી નથી. નીતિશની આ સંવેદનહીનતા પર બીજેપીએ ટીકા કરતા જણાવ્યું હતું કે બિહાર સરકાર પોતાના લોકો માટે સંવેદનશીલ નથી.
બીજેપીની આ ટીકા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું કે હું કોઇ રેમ્બો નથી કે ઉત્તરાખંડ જઇને બિહારના લોકોને બચાવી લાવું. જોકે બિહારના બીજેપી નેતા સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોના મુકાબલે ઉત્તરાખંડની તબાહીમાં બિહાર સરકારનું વલણ સંવેદનહીન છે.












Click it and Unblock the Notifications
