તિમ્માપુરમમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક નક્સલી ઠાર
છત્તીસગઢના ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક નક્સલી માર્યો ગયો હતો. સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે અને સર્ચ ઓપરેશન હજૂ ચાલુ છે.
રાંચી, 30 જાન્યુઆરી : છત્તીસગઢના ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક નક્સલી માર્યો ગયો હતો. સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે અને સર્ચ ઓપરેશન હજૂ ચાલુ છે. એસપી સુકમા સુનીલ શર્માએ આ અંગે જાણકારી આપી છે.

આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરતા એસપી સુકમા સુનીલ શર્માએ જણાવ્યું કે, ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તિમ્માપુરમના જંગલ વિસ્તારમાં રવિવારના રોજ ડીઆરજી અને કોબ્રા 201 બીએન દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના માટે સુરક્ષા દળોએ નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં એક નક્સલી માર્યો ગયો હતો. હજૂ પણ સ્થળ પર ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, સુકમા છત્તીસગઢમાં ગંભીર રીતે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. જંગલી અને ગ્રામીણ વિસ્તારોમાં નક્સલવાદીઓનો દબદબો છે. તેમના નેટવર્કને નષ્ટ કરવા માટે સુરક્ષા દળના જવાનો અહીં સતત સર્ચ ઓપરેશન પણ ચલાવે છે. તાજેતરના સમયમાં ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
