Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ગેંગસ્ટર્સ' પર સીએમ ભગવંત માને કસ્યો ગાળિયો, AGTFને આપ્યા આ આદેશ

પોલિસ રાજ્યમાં ગેંગસ્ટરવાદના જોખમને ખતમ કરવા માટે ઠોસ અભિયાન ચલાવશે.

નવી દિલ્લીઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે પોલિસ કમિશ્નર અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓને કહ્યુ છે કે તેઓ વ્યક્તિગત રીતે ઑપરેશન ચલાવીને અને પૂછપરછ કરીને ગુનેગારો વિરુદ્ધ અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવશે. તેમણે સીપી અને એસીએસપીને લખેલા પત્રમાં કહ્યુ કે સારા નેતા ઉદાહરણ સાથે નેતૃત્વ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે પંજાબ પોલિસની દેશ પ્રત્યે પોફેશનલિઝ્મ અને વીરતાની પરંપરા રહી છે. તેમણે પોલિસ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરીને કહ્યુ કે પોલિસ રાજ્યમાં ગેંગસ્ટરવાદના જોખમને ખતમ કરવા માટે ઠોસ અભિયાન ચલાવશે. સાથે જ બહાદૂર અધિકારી આ કામમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

bhagwant mann

5 એપ્રિલે કાયદો વ્યવસ્થાની સમીક્ષાને લઈને બેઠકનો ઉલ્લેખ કરીને માને કહ્યુ કે સરકારનુ ધ્યાન કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં આવે છે. ભ્રષ્ટાચારને ખતમ કરવા સાથે જ પોલિસ ફોર્સના કલ્યાણ માટે પણ પગલાં લેવામાં આવશે. આ પહેલા તેમણે 5 એપ્રિલે એંટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ(એજીટીએસ)ની રચનાનુ એલાન કર્યુ હતુ જેથી રાજ્યમાંથી ગુનાને ખતમ કરી શકાય. આનાથી પોલિસ કમિશ્નરેટ અને જિલ્લાઓમાં સીપી અને એસએસપીની ભૂમિકા અને જવાબદારીઓમાં કમી નહિ આવે કારણકે બંનેની જ જવાબદારી ગુનાને નિયંત્રિત કરવા અને પોતાના અધિકાર ક્ષેત્રમાં કાયદો વ્યવસ્થાને જાળવી રાખવાની છે.

અંગત રીતે જવાબદાર હશે અધિકારી

મુખ્યમંત્રીએ જોર આપીને કહ્યુ, 'તમે પોતાના અધિકાર ક્ષેત્રમાં થતી કાનૂન વ્યવસ્થાના ઉલ્લંઘન માટે અંગત રીતે જવાબદાર હશો કારણકે તમારી કાયદા પ્રત્યે જવાબદેહી છે.' એજીટીએફ ઈંટેલીજન્સ આધારિત ઑપરેશન્સ પર ધ્યાન કેન્દ્રીત કરશે. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે સીપી અને એસએસપી પોતાને અધીન ક્ષેત્રોમાં પોલિસ અધિકારીઓને બ્રીફિંગ આપવા સાથે ગુના સાથે જોડાયેલ ડેટાનુ વિશ્લેણ કરવા અને ભાગી ગયેલા ગુનેગારોની ઓળખ કરવા અને ગેંગસ્ટર વિરોધી અભિયાન ચલાવવા માટે ગેંગસ્ટરો સામે અભિયાન ચલાવશે.

સરકારે ઘણા પ્રશાસનિક પગલાં લીધા

પંજાબ સરકારે રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રશાસનિક પગલા લીધા છે સ્પેશિયલ ક્રાઈમ્સ એન્ડ ઈકોનૉમિક ઑફેંસીસ વિંગના એડીજીપીને એંટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સના એડીજીપી બનાવવામાં આવ્યા છે. એઆઈડી ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટ ગુરમીત સિંહ ચૌહાણને એઆઈજી એજીટીએફ બનાવવામાં આવ્યા છે અને સીપી લુધિયાણા ગુરપ્રીત સિંહ ભુલ્લરને ડીઆઈજી એડીટીએફ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડીએસપી ખરરર બિક્રમજીત સિંહ બ્રારને ડીએસપી એડીટીએફનો અધિક પ્રભાર સોંપવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X