દિલ્લીમાં વધ્યા કોરોના કેસ, સીએમ કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કોવિડ-19ના કારણે બગડેલી સ્થિતિને જોતા ઈમરજન્સી બેઠક બોલાવી છે.
નવી દિલ્લીઃ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. રોજ કોવિડ-19ના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના સક્રિય કેસ અને મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કોવિડ-19ના કારણે બગડેલી સ્થિતિને જોતા ઈમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય અધિકારીઓ શામેલ હશે.

દિલ્લીમાં બુધવારે 1819 નવા કોરોના પૉઝિટીવ કેસ સામે આવ્યા છે અને 11 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દિલ્લીમાં સંક્રમણનો દર 2.71 ટકા છે. નવા કેસોને મિલાવીને દિલ્લીમાં સંક્રમણના કેસ કુલ 6,62,430 થી ગયા છે અને અત્યાર સુધી 6.42 લાખથી વધુ લોકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર અત્યાર સુધી કોરોનાથી દિલ્લીમાં 11,027 લોકોના મોત થઈ ચૂક્યા છે અને દિલ્લીમાં લેટેસ્ટ કોરોના પૉઝિટીવ કેસોનુ કુલ સંખ્યા 8838 છે.












Click it and Unblock the Notifications
