કૈરાનામાં સ્થળાંતર પીડિતોને મળ્યા સીએમ યોગી, બાળકીને પુછ્યું- હવે તો કોઇ ડર નથી ને, મળ્યો આ જવાબ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવારે કૈરાનામાં એક ખાસ સમુદાયના ડરથી 2016 માં સ્થળાંતર કરી ચૂકેલા હિન્દુ પરિવારોને મળ્યા હતા. હવે આ પરિવારો કૈરાના પરત ફર્યા છે. મુખ્યમંત્રી યોગીએ પીડિત પરિવાર સાથે વાતચીત કરી. આ દરમિયાન બાજુ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવારે કૈરાનામાં એક ખાસ સમુદાયના ડરથી 2016 માં સ્થળાંતર કરી ચૂકેલા હિન્દુ પરિવારોને મળ્યા હતા. હવે આ પરિવારો કૈરાના પરત ફર્યા છે. મુખ્યમંત્રી યોગીએ પીડિત પરિવાર સાથે વાતચીત કરી. આ દરમિયાન બાજુમાં બેઠેલી એક છોકરીએ પૂછ્યું, 'હવે કોઈ ડર તો નથી ને?' આના પર છોકરી ના કહે છે.

પીડિત પરિવારોને મળ્યા બાદ સીએમ યોગીએ કહ્યું કે 2017 પછી સરકાર દ્વારા અપરાધ અને ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ લેવાયેલા પગલાંને પરિણામે આ નગરમાં શાંતિ આવી, ઘણા પરિવારો પાછા ફર્યા છે. મેં કેટલાક પરિવારો સાથે વાતચીત કરી જેઓ અગાઉની સરકારોના રાજકીય અપરાધીકરણનો ભોગ બન્યા હતા. કૈરાના અને કાંધલા જેવા નગરોએ 1990ના દાયકાની શરૂઆતમાં રાજકીય અપરાધીકરણ અને વ્યાવસાયિક ગુનેગારોના રાજકીયકરણના પરિણામો ભોગવ્યા હતા. અહીં હિંદુ વેપારીઓ અને અન્ય હિંદુઓ પર મોટા પાયે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને અહીંથી હિજરત કરવાની ફરજ પડી હતી.
તમને જણાવી દઈએ કે, શામલીના કૈરાનામાં 2016માં વેપારી વર્ગ કૈરાનાથી હિજરત કરી ગયો હતો. આ વેપારીઓએ કૈરાનામાં પુનરાગમન કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વતન પરત ફરી રહેલા વેપારીઓ સાથે મુલાકાત કરી છે. આ પરિવારો પોતાનું ઘર છોડીને દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં આવી ગયા હતા. હકીકતમાં, વર્ષ 2015 થી 2017 દરમિયાન, લગભગ 90 હિન્દુ પરિવારો કૈરાનાથી સ્થળાંતર કરી ગયા હતા. તેણે પોતાના ઘરની બહાર 'આ ઘર વેચાણ માટે છે' એવું પણ લખ્યું હતું. વર્ષ 2016માં કૈરાનાના તત્કાલિન ભાજપના સાંસદ હુકુમ સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો. યોગી સરકારનો દાવો છે કે તેમણે રાજ્યમાં ગુનામાં ઘટાડો કર્યો છે, ત્યારબાદ આ પરિવારો કૈરાના પરત ફર્યા છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ










Click it and Unblock the Notifications
