શહીદ કર્નલ સંતોષ બાબૂ મહાવીર ચક્રથી થયા સમ્માનિત, રાષ્ટ્રપતિએ તેમની મા અને પત્નીને સોંપ્યુ સમ્માન
લદ્દાખ સેક્ટરમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે સંઘર્ષમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબૂને આજે(મંગળવાર) મરણોપરાંત મહાવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ લદ્દાખ સેક્ટરમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે સંઘર્ષમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબૂને આજે(મંગળવાર) મરણોપરાંત મહાવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમના ઉપરાંત વીરતાનો આ પુરસ્કાર ઝડપમાં વીરગતિને પ્રાપ્ત કરી ચૂકેલા ચાર અન્ય સૈનિકોને પણ આપવામાં આવ્યુ. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી તેમના મા અને પત્નીએ મહાવીર ચક્ર પ્રાપ્ત કર્યુ. વળી, સોમવારે થયેલ સમારંભમાં વિંગ કમાંડર (હવે ગ્રુપ કેપ્ટન) અભિનંદન સહિત અન્ય વીર જવાનોને તેમની બહાદૂરી માટે સમ્માનિત કરવામાં આવ્યુ.
તમને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં ઑપરેશન સ્નો-લેપર્ડ ચીની સેના સાથે થયેલી હિંસક ઝડપમાં કર્નલ સંતોષ બાબૂ સહિત પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. આ બધાને મરણોપરાંત ભારતના બીજો સૌથી મોટો વીરતા પુરસ્કાર મહાવીર ચક્રથી આજે સમ્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત જે ચાર સૈનિકોને મરણોપરાંત વીર ચક્ર આપવામાં આવ્યો છે, તેમાં નાયબ સૂબેદાર નુદૂરામ સોરેન(16 બિહાર), હવાલદાર કે. પિલાની(81 ફીલ્ડ રેજિમેન્ટ), નાયક દીપક કુમાર(આર્મી મેડિકલ કોર-16 બિહાર), સિપાહી ગુરજેત સિંહ(3 પંજાબ) શામેલ છે. આ વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર ગલવાન ઘાટીમાં વીરગતિને પ્રાપ્ત થયેલા સૈનિકોને તેમના અદમ્ય સાહસ અને બહાદૂરી માટે તેમને વીર ચક્ર આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
શહીદ કર્નલના પિતા આ સમ્માનથી સંતુષ્ટ નથી
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શહીદ કર્નલ સંતોષ બાબૂને મહાવીર ચક્ર આપવાના એલાન બાદ તેમના પિતા આ સમ્માનથી સંતુષ્ટ નહોતા. તેમણે કહ્યુ કે કર્નલે પરમવીર ચક્ર મળવુ જોઈતુ હતુ. સંતોષ બાબૂના પિતાએ કહ્યુ હતુ કે તે જૂન 2020માં બહાદૂરીનુ પ્રદર્શન કરવા માટે તેમણે મરણોપરાંત મહાવીર ચક્ર આપવાથી 100 ટકા સંતુષ્ટ નથી. બાબૂના પિતા બી ઉપેન્દ્રએ કહ્યુ કે એવુ નથી કે હું દુઃખી છુ પરંતુ હું(મહાવીર ચક્ર પુરસ્કારથી) 100 ટકા સંતુષ્ટ નથી. તેમને વધુ સારી રીતે સમ્માનિત કરવા જોઈતા હતા.