ક્યાં ગઇ મધ્યપ્રદેશની 4990 કીશોરીઓ?

ગુપ્તાએ જવાબ સામે જ પ્રશ્નચિન્હ કરતા રાવતે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્ય આરિફ અકીલના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં ગુમ થયેલી કીશોરીઓમાં 4990ની હજુ સુધી ભાળ મળી નથી, તેથી આ માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ આ વાતનું સમર્થન કર્યું છે. ગુપ્તાએ જણાવ્યું કે પાંચ વર્ષોમાં 29,828 સગીરાઓ ગુમ થઇ હતી, જેમાંથી 4990 હજુ લાપતાની શ્રેણીમાં છે. ઘણીવાર ગુમ થયેલી સગીરાઓ ઘરે પરત આવી જાય છે, પરંતુ તેના પરિજનો પોલીસને જાણ કરતા નથી. ગુમ થયેલી સગીરાઓની યોગ્ય માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. ગુપ્તાએ સગીરાઓ ગુમ થવાનું માનવ તસ્કરી હોવાનો ઇન્કાર કર્યો છે.
ગૃહમંત્રીના જવાબ સામે કોંગ્રેસ ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવીને તેના પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે, બીજી તરફ બાળાઓ ગુમ થઇ રહી છે અને સરકાર તેમને શોધી શકી નથી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અસંતુષ્ઠ કોંગ્રેસ ધારાસભ્યો સદનની બહાર જતા રહ્યાં હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
