Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કસાબનો સાબુ કોંગ્રેસના દાગોને ધોઇ શકશે નહી: બાબા રામદેવ

baba-ramdev
હરિદ્રાર, 22 નવેમ્બર: એક તરફ દેશભરમાં અજમલ કસાબના મોત પર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે ત્યારે બાબા રામદેવે અજમલ કસાબને લઇને કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા છે. બાબા રામદેવે કહ્યું છે કે કસાબની આડમાં કોંગ્રેસ પોતાના કુકર્મોને છુપાવી રહી છે. તે લોકો સહાનૂભુતિ મેળવવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ તમને જણાવી દઉં કે તે લોકોને આમાં સફળતા મળશે નહી. કારણ કે અજમલ કસાબનો સાબુ હોય કે પછી અફજલ ગુરૂનો વોશિંગ પાઉડર, તે સરકારના કૌંભાડરૂપી દાગોને ધોઇ શકશે નહી.

બાબા રામદેવે પ્રશ્ન ઉભો કર્યો છે કે મુંબઇ હુમલાના બીજા દિવસે જ સરકારે અજમલ કસાબને ફાંસી કેમ ન આપી. પરંતુ આ સારું થયું મોડા તો મોડા પણ અજમલ કસાબને મોતની સજા તો મળી. જો સરકાર સાચી હોય તો તે અફજલ ગુરૂને પણ ફાંસીએ લટકાવી દેવો જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે સાડા સાત વાગે મુંબઇ હુમલામાં પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી છે. આ અંગેની જાણકારી મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી. અજમલ કસાબને અચાનક ફાંસી આપવામાં આવી એટલે લોકો ચોંકી ઉઠ્યા. પરંતુ જે પ્રમાણે પ્રતિક્રિયાઓ આવી રહી છે તે પ્રમાણે લાગે છે કે સરકારને જે પગલાં ભર્યાં છે તેનાથી લોકો ખુશ છે. ભાજપ પણ કોંગ્રેસની પ્રશંસા કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X