તેલંગાનાઃ 'કોંગ્રેસ પાસે એક ડઝન મુખ્યમંત્રી પદના ઉમેદવાર', CM કેસીઆરે ચૂંટણી રેલીમાં સાધ્યુ નિશાન
Telangana Assembly Election 2023: તેલંગાણાના મુખ્યમંત્રી અને BRS ચીફ કેસીઆરે ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે, તેઓ એવા પક્ષને જ મત આપે જે તેના વચનો પૂરા કરે. એવા પક્ષને ક્યારેય મત ન આપો જે વચનો આપે અને પછી ભૂલી જાય.
તેમણે કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું કે તેમની પાસે તેલંગાણામાં ઓછામાં ઓછા એક ડઝન મુખ્યમંત્રી પદના ઉમેદવારો છે. રેલીને સંબોધતા સીએમ કેસીઆરએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ હંમેશા તેમના હોદ્દા અને કરારમાં રસ ધરાવતા હતા અને પ્રદેશના લોકોના હિતોની ક્યારેય ચિંતા કરતા નથી.

સૌથી મોટી સમસ્યા એ છે કે તેલંગાણા કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે એક ડઝન ઉમેદવારો છે. જ્યાં જુઓ ત્યાં તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. કોઈને સીએમ બનવું હોય તો બીજા લોકો તેને નીચે ખેંચે છે. દરેક વ્યક્તિ એવો દાવો કરીને મત માંગે છે કે જો તેઓ ચૂંટાશે તો મુખ્યમંત્રી બનશે.
કોંગ્રેસના નેતાઓની ટીકા કરતા, તેમણે કહ્યું કે AICCના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીથી લઈને તેલંગાણાના CLP નેતા ભટ્ટી વિક્રમાર્કા સુધીના દરેક કહે છે કે ધરણીને નાબૂદ કરવુ જોઈએ, જેના અનિચ્છનીય પરિણામો આવી શકે છે. તમને જણાવી દઈએ કે ધરણી એ એક સંકલિત લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ પોર્ટલ છે જે તેલંગાણામાં BRS સરકાર દ્વારા અમલમાં છે.
તમે આ પહેલા પણ ઘણી ચૂંટણીઓ જોઈ અને મતદાન કર્યું છે. લોકોએ વિચારીને મતદાન કરવું જોઈએ. તો જ જનતા જીતશે નહીંતર નેતાઓ જીતશે. જે ચૂંટણીમાં જનતા જીતે તે જ ખરી ચૂંટણી છે. તો જ તમામ લોકોને ન્યાય મળશે. તેમણે કહ્યું કે એવી કોઈ સ્થિતિ નથી કે જેમાં કોંગ્રેસ 30 નવેમ્બરની વિધાનસભા ચૂંટણી જીતી શકે.












Click it and Unblock the Notifications
