મોદીને યમરાજ કહેતાં રામદેવ ભડક્યાં, વિનાશકાળે વિપરીત બુદ્ધિ !

baba-ramdev
નવી દિલ્હી, 6 એપ્રિલ: કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીના ભેંસવાળા નિવેદન પર યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. બાબા રામદેવ પહેલાં પણ નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી ચૂક્યાં છે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર ગણાવી ચુક્યાં છે. ગઇકાલે કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે 'જો રાહુલજી (સીઆઇઆઇની સભામાં) નરેન્દ્ર મોદી તરફ સંકેત કર્યો હોત તો તે તેમને તે ઘોડો નથી પરંતું ભેંસ હોત. આ ટિપ્પણીના માધ્યમથી કોંગ્રેસે નરેન્દ્ર મોદીની તુલના યમરાજ સાથે કરી છે જેને હિન્દુ માન્યતાઓ અનુસાર મૃત્યુંના દેવતા માનવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવાર કહ્યું હતું કે એવી અપેક્ષા કરવી ન જોઇએ કે ઘોડા પર સવાર થઇને કોઇ વ્યક્તિ આવશે અને બધી સમસ્યાઓ દુર કરી દેશે. ગુરૂવારે નરેન્દ્ર મોદીએ એક પુસ્તક વિમોચન સમારોહમાં દેશનું ઋણ ઉતારવાની વાત કરતાં કહ્યું હતું કે દરેક બાળકનું કર્તવ્ય છે કે ભારતમાતાનું ઋણ ચુકવે.

તેમને કહ્યું હતું કે ફક્ત નરેન્દ્ર મોદી જ નહી પરંતુ દરેક બાળક અને નાગરિકના માથે ભારતમાતાનું ઋણ છે, આ તેનું કર્તવ્ય છે જ્યારે અવસર આવે ત્યારે તેને ચુકવવું જોઇએ. એક શિક્ષક બાળકને ભણાવીને આમ કરે છે. નરેન્દ્ર મોદીએ દરેકને ઋણ ચુકવવાની વાત કરી હતી. મને આશા છે કે ભારતમાતા આર્શિવાદ આપે છે તો કોઇ વ્યક્તિએ ઋણ ચુકવ્યા વિના જતો નથી.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X