Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસનો BJP પર વાર, શું મોદી કારગિલ - સંસદ હુમલો ભૂલી ગયા?

કોયંબતૂર, 2 ઓક્ટોબર: આતંકવાદ અને બોર્ડર પર હિંસાના સવાલ પર કેન્દ્રની યુપીએ સરકારની ટીકા કરવા પર વરિષ્ઠ કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે મોદી એનડીએ સરકાર દરમિયાન કારગિલ યુદ્ધ અને સંસદ પર આતંકવાદી હુમલા ભૂલી ગઇ શું?

કોંગ્રેસ મહાસચિવ વાસનિકે સવાલ કર્યો કે 'તેઓ કારગિલ યુદ્ધ અથવા આતંકવાદીઓની સાથે તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહના કંદહાર જવા અને તેમને છોડવા અને સંસદ પર આતંકવાદી હુમલો ભૂલી ગયા?'

mukul wasnik
કોંગ્રેસ મહાસચિવે અત્રે પાર્ટીના કાર્યકર્તાઓના સમ્મેલનમાં જણાવ્યું કે મોદી આતંકવાદ અને સીમાની રક્ષાના મુદ્દા પર ખાસ રીતે એનડીએ સરકારની ખામીઓ કાઢી રહ્યા છે. શું તેઓ અટલ બિહારી વાજપેઇની એનડીએ સરકાર દરમિયાન સરહદ પર સર્જાઇયેલી 'પૂર્ણ અરાજકતા' ભૂલી ગયા. વાસનિકે જણાવ્યું કે ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે સુરક્ષાની અછત પર કેન્દ્રને સવાલ ન્હોતો કર્યો.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે એક રચનાત્મક વિપક્ષના રૂપમાં કોંગ્રેસે આ મુદ્દા પર રાજનીતિ ન્હોતી કરી, અને તેનાથી ઉલટું વાજપેઇ સરકારના સમર્થનમાં ઊભી હતી. વાસનિકે આરોપ લગાવતા જણાવ્યું કે મોદીના ભાષણ લોકોના દિલ જીતવાને બદલે અક્કડપન દેખાડી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X