કોંગ્રેસી નેતા સંજય નિરુપમની પત્નીનો મોદીને પત્ર, કહ્યું- દેશમાં છે જાનનુ જોખમ
સર્જીકલ સ્ટ્રાઇકને નકલી ગણાવનાર કોંગ્રેસી નેતા સંજય નિરુપમની પત્ની ગીતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે નિરુપમના નિવેદન બાદ તેમનો પરિવાર દેશમાં સુરક્ષિત નથી અનુભવી રહ્યો.

સર્જીકલ સ્ટ્રાઇક પર આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયામાં સંજય નિરુપમનની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી. એટલુ જ નહિ, તેમને અંડર વર્લ્ડમાંથી ધમકીભર્યો ફોન પણ આવ્યો, જેની ફરિયાદ તેમણે નોંધાવી છે. તેમની પત્ની ગીતા સાથે પણ લોકો અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા છે. ગીતાએ પત્રમાં સવાલ ઉઠાવ્યો, "શું આ પહેલા કોઇએ સરકારની વિરુદ્ધમાં નિવેદનો નથી આપ્યા?"
" દેશમાં હું સુરક્ષિત નથી "
ગીતાએ ચિટ્ઠીમાં લખ્યું, " શું સરકારની વિરુદ્ધ બોલનારા બધા લોકોના પરિવારોને હત્યાની ધમકી આપવામાં આવી રહી છે? જ્યારે કિરણ રાવે કહ્યું કે આ દેશ હાલમાં સુરક્ષિત નથી તો લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી, પરંતુ આજે હું પણ એ જ કહુ છુ કે પોતાના જ દેશમાં હું સુરક્ષિત નથી. "
કોંગ્રેસી નેતાની મા ને પણ બોલ્યા અપશબ્દ
પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં ગીતાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ફોનવાળા લોકો નિરુપમની 80 વર્ષની મા માટે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
