પાકિસ્તાનથી વિંગ કમાંડર અભિનંદનની મુક્તિ પર કોંગ્રેસે શું કહ્યુ?
કોંગ્રેસ તરફથી અભિનંદનના સાહસની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી અભિનંદનના સાહસની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની જવા પર તણાવ ઘણો વધી ગયો છે. બીજી તરફ ભારતીય વિંગ કમાંડર અભિનંદનના પાકિસ્તાનની પકડમાં આવી જવા પર ખળભળાટ મચી ગયો હતો. જો કે પાકિસ્તાને શાંતિની પહેલ હેઠળ અભિનંદનને શુક્રવારે ભારત પાછા મોકલવાનું એલાન કર્યુ છે. આ દરમિયાન પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસ તરફથી વિંગ કમાંડર અભિનંદન અંગે મોટુ નિવેદન આવ્યુ છે. કોંગ્રેસ તરફથી અભિનંદનના સાહસની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'વિંગ કમાંડર અભિનંદન - તમે અમારુ ગૌરવ છો, અમારુ અભિમાન છો. તમને 130 કરોડ ભારતીય નાગરિકોના અભિનંદન. વિપરીત પરિસ્થિતિમાં તમારા અદમ્ય સાહસ અને ગરિમામય સંતુલને બધા ભારતીયોના દિલ તેમજ દિમાગને જીતી લીધા છે.'
તમને જણાવી દઈએ કે બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિના સમયે ભારતીય જેટ મિગ 21 પડી જતા તેના પાયલટ અભિનંદન પાકિસ્તાનની પકડમાં આવી ગયા. ત્યારબાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો. ત્યારબાદ પાકિસ્તાને શાંતિની પહેલ હેઠળ શુક્રવારે અભિનંદનને પાછા મોકલવાનું એલાન કર્યુ. જો કે ભારતે પહેલા જ પાકને કોઈ પણ શરત વિના અભિનંદનને પાછા મોકલવાનો કડક સંદેશ આપી દીધો હતો.
🇮🇳Wing Commander Abhinandan- You are our pride, you are our honour. 🇮🇳
— Randeep Singh Surjewala (@rssurjewala) 1 March 2019
🇮🇳रणबांकुरे अभिनंदन को 130 करोड़ भारतीयों का अभिनंदन 🇮🇳
Your indomitable courage & dignified poise in face of adversity has won hearts & minds of all Indians.
Glory to the brave!! #WelcomeBackAbhinandan
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાથી આ તણાવની શરૂઆત થઈ હતી. આ હુમલાની જવાબદારી પાક આધારિત આતંકી સંગઠને લીધી હતી. હુમલામાં 40 જવાનોની શહીદીથી દેશભરમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ હતો અને દરેક જણ બદલો લેવા માટે સરકાર પર દબાણ કરી રહ્યુ હતુ. એવામાં વાયુસેનાએ પ્રતિકાર રૂપે પીઓકેમાં ઘૂસીને જૈશના કેમ્પો પર હજાર કિલોનો બોમ્બ ફેંકીને તેને નષ્ટ કરી દીધા હતા. આના પર રઘવાયેલા પાકે પલટવાર કરતા યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ. જ્યારે ભારતે પાકિસ્તાનનું એક જેટ તોડી પાડ્યુ ત્યાં પાકે ભારતના બે જેટ તોડી પાડ્યા.
આ પણ વાંચોઃ#MeToo પર બની રહેલી ફિલ્મમાં જજ રૂપે જોવા મળશે આલોક નાથ, યૌનશોષણની કરશે સુનાવણી