નવી દિલ્હી, 20 માર્ચ: ભાજપે જાહેરાત કરી દિધી છે કે તેમની પાસે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે વારાણસીની સીટ જ લોકસભાની ચૂંટણી લડશે. ભાજપની આ જાહેરાત છતાં કોંગ્રેસ હજુ સુધી એ વાતનો નિર્ણય કરી શકી નથી કે બનારસની સીટ પરથી ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીનો મુકાબલો કોણ કરશે?
કોંગ્રેસમાં આ નિર્ણયને લઇને માથાપચ્ચીનો દોર હજુ સુધી ચાલું છે. આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યાં છે પાર્ટી મહાસચિવ દિગ્વિજય સિંહ આ જવાબદારી સંભાળી શકે છે. આ ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી આનંદ શર્માને પણ કહેવામાં આવ્યું છે કે તે લોકસભા ચૂંટણીમાં વારાણસીના મેદાનમાં મુકાબલો કરવા માટે તૈયાર છે.
પરંતુ આ દરમિયાન એવી જાણકારી આવી રહી છે કે રાજકીય પંડિતો હેરાન રહી ગયા છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ કોઇ મોટા ખેલાડી અથવા સેલેબ્રિટીને ઉતારવાનું મન બનાવી રહી છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ પોતાના રાજ્યસભા સાંસદ અને માસ્ટરબ્લાસ્ટ સચિન તેંડુલકરને મોદી વિરૂદ્ધ ઉતારવા માંગે છે. અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર ચીફ ઇલેક્શન કમિટીની ઘણી બેઠકો છતાં એવો ઉમેદવાર શોધી શકી નથી જે નરેન્દ્ર મોદીનો મુકાબલો કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિનને કોંગ્રેસે રાજ્યસભા સુધી પહોચાડ્યો છે. સચિન તેંડુલકરના સંન્યાસ બાદ તે દિવસે જ તેમને દેશના સવોચ્ચ નાગરિકનું સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી શકે છે. તેને પણ કોંગ્રેસની દેન ગણવામાં આવી. સચિઅન રાહુલના એકદમ નજીક છે. પરંતુ સચિનને સક્રિય રાજકારણથી દૂર રાખવા માંગે છે એટલા માટે મોદી વિરૂદ્ધ ચૂંટણી લડાવવા માંગતા નથી.