મોદી મેજિકને મસળવા 'સાંપ્રદાયિક પાર્ટી' સાથે જોડાશે કોંગ્રેસ: એન્ટોની
કસરગોડ (કેરળ)/નવી દિલ્હી, 31 માર્ચ : દેશભરમાં ચાલી રહેલા મોદી મેજિકથી બેબાકળી બનેલી કોંગ્રેસ કોઇ પણ ભોગે નરેન્દ્ર મોદીને કેન્દ્રની સત્તાથી દૂર રાખવા માંગે છે. આ માટે તે કોઇ પણ સાંપ્રદાયિક પાર્ટી સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. આ વાત કેન્દ્રીય રક્ષા મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા એ કે એન્ટોનીએ જણાવી છે.
કેરળના કસરગોડમાં રવિવારે એક ચૂંટણી સભાને સંબોધતા એ કે એન્ટોનીએ જણાવ્યું હતું કે 'લોકસભા ચૂંટણી 2014માં અમે સારી એવી બેઠકો જીતીશું, આમ છતાં અમે કદાચ સરકાર બનાવી શકીશું નહીં. કોઇ પણ પ્રકારની આફત ટાળવા માટે કોંગ્રેસ પાર્ટી તેની સામે લડી રહેલી અને કોંગ્રેસ સાથે બિનસાંપ્રદાયિકતાના મુદ્દે હાથ મિલાવવા માટે તૈયાર પાર્ટી સાથે જોડાણ કરવા તૈયાર છે. જેથી મોટી આફત ટાળી શકાય.'

એન્ટોનીએ જણાવ્યું કે ભાજપ અને તેની યુતિ એનડીએ દેશ માટે મોટી આફત છે. ભાજપના નેતા નરેન્દ્ર મોદી ભારતના ભાવિ વડાપ્રધાન બની શકે નહીં કારણ કે તેમની ફાસીવાદી કામ કરવાની પદ્ધતિ સમગ્ર દેશની વ્યવસ્થા અને તંત્રને બગાડી શકે છે.
આ મુદ્દે ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ જણાવ્યું છે કે 'જો લોકો બિનસાંપ્રદાયિક પાર્ટી ઇચ્છતા હોય તો કોંગ્રેસે અલવિદા કહેવી પડશે. કારણ કે કોંગ્રેસ સૌથી વધારે સાંપ્રદાયિક પાર્ટી છે.'
ઉલ્લેખનીય છે કે આગામી 7 એપ્રિલથી 12 મે, 2014 દરમિયાન 9 તબક્કામાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ માટે દેશની મુખ્ય રાજકીય પાર્ટીઓ વિવિધ રાજ્યોમાં ચૂંટણી સભા ગજવી રહી છે.












Click it and Unblock the Notifications
