મનમોહનને વડાપ્રધાન બનાવવા પાર્ટીની સૌથી મોટી ભૂલ: મણિશંકર અય્યર

અય્યરે વડાપ્રધાન મનમોહન સિંહ પર સીધો હુમલો કરતા જણાવ્યું કે 2009માં તેમને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય રિઝર્વ રાખી લેવા જેવો હતો. તેમણે જણાવ્યું કે તેઓ મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવા પર પહેલા પણ સવાલ ઉઠાવી ચૂક્યા હતા, પરંતુ કોંગ્રેસના કોઇ નેતાએ તેમની વાત પર ધ્યાન આપ્યું જ નહીં.
અય્યરે પાર્ટીના સાંગઠનીક માળખાના પૂનર્ગઠનની માંગ કરતા જણાવ્યું કે કોંગ્રેસને વિપક્ષમાં બેસીને આત્મમંથન કરવું જોઇએ. અય્યરે જણાવ્યું કે તેમનો અર્થ ટોપ લીડરશીપને બદલવાનો નથી. એટલે કે મનમોહન સિંહને ચિદમ્બરમથી રિપ્લેસ કરી દેવામાં આવે. આવું કરવાનો મારો ઉદ્દેશ્ય પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાનો છે. જેનો વાયદો 1985માં રાજીવ ગાંધીએ કર્યો હતો. અય્યરે ચેતાવણી આપી છે કે જો કોંગ્રેસે તેમની વાત ગંભીરતાથી નહીં લીધી, તો તે મોટી મુશ્કેલીમાં ફંસાઇ શકે છે.
અય્યરે જણાવ્યું કે 2014માં કોંગ્રેસ પાર્ટીની હાર શક્ય છે, પરંતુ તેમણે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં દેશમાં ફરીથી સામાન્ય ચૂંટણી કરાવવી પડશે. કારણ કે કોઇ પણ પાર્ટી સંપૂર્ણ પાંચ વર્ષ સરકાર ચલાવી શકે તેમ નથી. અય્યરે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ખુદને પંચાયતોથી દૂર કરી લીધી, માટે આધાર ગુમાવી દીધો છે. અને આ તેનું પરિણામ છે.
જોકે અય્યરે સરકાર અને સંગઠનની વચ્ચે મતભેદના સમાચારોનું ખંડન કરી દીધું છે. તેમણે જણાવ્યું કે પાર્ટી અને સરકારમાં કોઇ ગેપ નથી. સોનિયા ગાંધી અને મનમોહન સિંહની વચ્ચે સારુ તાલમેલ છે. મોટા મુદ્દાઓ પર બંને સતત એક-બીજાના સંપર્કમાં રહે છે. બીજી તરફ મણિશંકર અય્યરના નિવેદન પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીએ જણાવ્યું કે અય્યર જે મુદ્દાઓને સાર્વજનિક રીતે કહી રહ્યા છે, તેને પાર્ટી ફોરમ પર કહેવા જોઇએ.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
