Corona virus: ચેપના ખતરાથી બચવા માટેની કરી લેવાઇ છે તૈયારી: ડો. હર્ષવર્ધન
કોરોના વાયરસના વિશ્વવ્યાપી ભય વચ્ચે કેન્દ્રીય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત આવા ચેપનો સામનો કરવા તૈયાર છે. ગુરુવારે તેમણે કહ્યું કે કેન્દ્રીય રસાયણો અને ખાતર રાજ્ય મં
કોરોના વાયરસના વિશ્વવ્યાપી ભય વચ્ચે કેન્દ્રીય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત આવા ચેપનો સામનો કરવા તૈયાર છે. ગુરુવારે તેમણે કહ્યું કે કેન્દ્રીય રસાયણો અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મને જાણ કરી છે કે જો ચીન જેવી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેમના મંત્રાલયે દવાઓ અને અન્ય જરૂરી ચીજોનો સ્ટોક કરી લીધો છે.

અઢી લાખ લોકોની કરાઇ તપાસ
નોંધપાત્ર વાત એ છે કે, ચીનમાં કોરોના વાયરસને કારણે 1200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે લગભગ 44000 લોકો આ વાયરસથી સંક્રમિત હોવાનું કહેવાય છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે, જેને ડોકટરોની વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોનાની ગભરાટ વચ્ચે, ડો.હર્ષવર્ધનને દેશના લોકોને સલાહ આપી છે કે તેઓ આ ચેપથી ગભરાશો નહીં. તેમણે કહ્યું કે દેશભરના એરપોર્ટ પર અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ મુસાફરોની તપાસ કરવામાં આવી છે. આ સાથે જ ભારત કેટલાક મેડિકલ સંબંધિત ચીજો ચીનને પણ મોકલી રહ્યું છે.
|
સુક્ષ્મતાથી કરી રહ્યાં છીએ નિરીક્ષણ
કેન્દ્રીય પ્રધાન ડો.હર્ષવર્ધનએ કહ્યું કે અમે ભારતમાં મળેલા ત્રણ કેસોની ખૂબ નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ. તેને કેવી રીતે અને ક્યાં ચેપ લાગ્યો તે અમે શોધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે ખરેખર આભારી છીએ કે દરેક લોકો ફાળો આપી રહ્યા છે. ચેપના જોખમોનો સામનો કરવા માટે સરકાર તમામ શક્ય તૈયારીઓ કરી રહી છે, દેશના લોકોને ગભરાવાની જરૂર નથી.

એક દિવસમાં ચીનમાં કોરોના વાયરસથી 242 લોકોના મોત
ચીનમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એએફપી ન્યૂઝ એજન્સી અનુસાર, ચીનમાં કોરોના વાયરસને કારણે માત્ર 1 જ દિવસમાં 242 લોકોનાં મોત નીપજ્યાં. સોમવાર સુધીમાં, ચીનમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 1,017 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. માત્ર સોમવારે 108 લોકોનાં મોત થયાં હતાં.
આ પણ વાંચો: વેલેન્ટાઈન વિશેષઃ સાત જન્મના બંધન નહિ પરંતુ જમાનો છે એક જન્મમાં સાત સમુંદર પાર કરવાનો!
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
