Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભ્રષ્ટ UPA શિયાળુ સત્ર પહેલાં ધરાશયી શઇ જશે: સુષ્મા સ્વરાજ

sushma-swaraj-sonia-gandhi
ભોપાલ, 12 ઑક્ટોબર: યૂપીએ શાસનને લઇને ફરી એકવાર ભાજપે ટિપ્પણી કરતાં દાવો કર્યો છે કે ત્રણ લોકસભામાં યૂપીએ પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે નહી. સ્વામી વિવેકાનંદની 150 જયંતી તથા લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મદિવસના અવસરે આ રેલીનું સમાપનના અવસરે વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે યૂપીએ સરકારના પાપનો ઘડો ભરાઇ ગયો છે.

ધરતી, આકાશ અને પાતાળમાં ભષ્ટ્રાચાર એમ ત્રણેય લોકમાં ભષ્ટ્રાચાર કરનારી યૂપીએ સરકાર શીયાળુ સત્ર પણ પુરૂ કરે શકશે નહી. માટે દેશમાં યોજાનારી વચગાળાની ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે.

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે રાષ્ટ્રમંડળ રમત કૌંભાડ, આકાશમાં 2જી સ્પેક્ટ્રમ કૌંભાડ અને જમીનમાં કોલસા કૌંભાડ કર્યું છે માટે પ્રજા ક્યારેય તેને માફ કરશે નહી. એફડીઆઇના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે દેશને લૂંટ્યા બાદ સરકાર હવે દેશને વિદેશીઓને વેચવાની તૈયારી કરી રહી છે.

યૂપીએએ એફડીઆઇના મુદ્દે ક્યારેય રાજકીય દળોની સલાહ માંગી નથી. ફક્ત સરમુખત્યારશાહી જેવું વર્તન કર્યું છે. સરકાર પ્રજાનો વિશ્વાસ અને સદનમાં વોટોને ગુમાવી ચૂકી છે. માટે નિશ્વિત છે કે સરકાર સંસદના શિયાળુ સત્ર પણ ચલાવી શકશે નહી અને ધરાશયી થઇ જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X