PSLV-C50 Mission: કાઉન્ટડાઉન શરૂ, ISRO આજે લૉન્ચ કરશે સેટેલાઈટ CMS-01
PSLV-C50 Mission: કાઉન્ટડાઉન શરૂ, ISRO આજે લૉન્ચ કરશે સેટેલાઈટ CMS-01
PSLV-C50 Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ગુરુવારે એટલે કે આજે ટેક્નોલોજી ક્ષેત્રમાં એક નવી ઉંચાઈ હાંસલ કરવા જઈ રહ્યું છે. ઈસરો આજે ધ્રુવીય ગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV)-C50 મારફતે CMS-01 સેટેલાઈટ લૉન્ચ કરશે. CMS-01 એક કોમ્યુનિકેશન એટલે કે સંચાર સેટેલાઈટ છે. આના માટે બુધવારે બપોરે 2.41 વાગ્યેથી 25 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. સેટેલાઈટને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવશે.

ઈસરોએ કહ્યું કે, 'PSLV-CMS-01 Mission'ના લૉન્ચ માટે બુધવારે 14.41 વાગ્યેથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટામાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. CMS-01 અંતરિક્ષ એજન્સીની 42મો કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. આ કોમ્યુનિકેશન સેટેલાઈટ પ્રીક્વેન્સી સ્પેક્ટ્રમના એક્સટેંડેડ-સી બેંડમાં સેવા ઉપલબ્ધ કરાવશે, જેના વિસ્તારમાં ભારતનો પ્રમુખ ભાગ, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ સમૂહ આવશે. PSLV-C50 પીએસએલવીના XL કન્ફિગરેશનની 22મી ઉડાણ હશે. આજનું લૉન્ચ ચેન્નઈથી 120 કિમી દૂરી પર શ્રીહરિકોટાથી 77મું લૉન્ચ વ્હિકલ મિશન હશે.
અગાઉ ઈસરોએ 7 નવેમ્બરે PSLV-C49 (EOS-01) અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ અને 9 કસ્ટમર સેટેલાઈટ લૉન્ચ કર્યા હતા. જે કોવિડ 19 મહામારી વચ્ચે ઈસરોનું પહેલું મિશન હતું. આજનું લૉન્ચ ઈસરોનું 2020નું અંતિમ લૉન્ચ હશે. આ લૉન્ચ આજે બપોરે 3 વાગીને 41 મિનિટ પર થશે. જો કે આ અસ્થાયી સમય છે અને લૉન્ચ મોસમની પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
