દલિત સંગઠનોનો લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારને 30 ઓગસ્ટ સુધીનો સમય
‘અમે 30 ઓગસ્ટ, 2018 સુધીનો સરકારને સમય આપ્યો છે અને જો સરકાર અમારી માંગો સ્વીકાર નહિ કરે તો અમે આંદોલન કરવા માટે મજબૂર થઈશુ.'
કેટલાક દલિત સંગઠન સંયુક્ત સચિવ સ્તર પર અધિકારીઓની લેટરલ એન્ટ્રી સામે વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના આંદોલનનું નેતૃત્વ કરનાર અશોક ભારતીએ વન ઈન્ડિયાને જણાવ્યુ કે તે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચંદીગઢ સહિત તમામ દલિત સંગઠનો સાથે મુલાકાત કરી રહ્યા છે. 'અમે 30 ઓગસ્ટ, 2018 સુધીનો સરકારને સમય આપ્યો છે અને જો સરકાર અમારી માંગો સ્વીકાર નહિ કરે તો અમે આંદોલન કરવા માટે મજબૂર થઈશુ.' તેમણે કહ્યુ કે તેઓ એ લોકોને મળી રહ્યા છે જે સરકારથી ખુશ નથી જેમકે ઓઆરઓપી અંગે તેના વિરોધમાં પ્રદર્શન કરનારા પર પણ નજર છે.

જો કે ભાજપના સાંસદ અને એસસી એસટી સંગઠનના અખિલ ભારતીય સંઘના અધ્યક્ષ ઉદિત રાજે બાદમાં પ્રવેશના માધ્યમથી આવનારા લોકો માટે અનામતની માંગ કરી છે અને કહ્યુ કે દલિત સમુદાયમાં સારા અધિકારીઓની કોઈ કમી નથી પરંતુ તેમને યોગ્ય જવાબદારીઓ આપવામાં આવવી જોઈએ. તેમણે આગળ કહ્યુ કે સંયુક્ત સચિવના દસ પદોની નિયુક્તિ ખાનગી સંસ્થાઓના લોકો દ્વારા ભરવામાં આવી રહી છે જે અનામત નીતિનું ઉલ્લંઘન છે. એટલા માટે તેમણે એસસી એસટી અને ઓબીસીના અનામતની માંગ કરી છે. તેલુગુદેશમ પાર્ટી જે હાલમાં એનડીએથી અલગ થઈ છે તેનું માનવુ છે કે આ નિયુક્તિઓ સંખ્યામાં ખૂબ ઓછી છે. એટલા માટે તે અનામત નીતિને બહુ પ્રભાવિત નહિ કરે.
વન ઈન્ડિયા સાથે વાત કરતા તેલુગુદેશમ પાર્ટીના એમપી પી રવિન્દ્ર બાબુએ કહ્યુ કે આ એક પ્રકારની વિશેષ જવાબદારી હશે જેને નોકરીની સાથે સોંપવામાં આવશે. તે સારા પરિણામ આપશે અને પાછા જશે. વાસ્તવમાં તે અનામત નીતિને પ્રભાવિત નહિ કરે. પરંતુ સરકાર આ મામલે દ્રઢ છે અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર કુમાર કહે છે કે સરકાર આ પગલુ પાછુ નહિ લે. પ્રસ્તાવ સાથે સરકાર આગળ વધશે. અશોક ભારતી જેમણે 2 એપ્રિલે ભારત બંધ બોલાવ્યુ હતુ તેમણે કહ્યુ કે દલિતોમાં ઘણો ગુસ્સો છે. તેમના માટે આ સંવિધાનિક તંત્રને વણજોયુ કરવા સમાન છે જે મહત્વની સરકારી નોકરીઓ માટે ભરતી માટે અનિવાર્ય છે. આનો વિરોધ એક સંદેશ આપવાની કોશિશ છે કે જો તેમની મુશ્કેલીઓ પર સરકાર ધ્યાન નહિ આપે તો દલિત ભાજપને 2019 માં લોકસભા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
