દલિત સંગઠનોનો લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારને 30 ઓગસ્ટ સુધીનો સમય
‘અમે 30 ઓગસ્ટ, 2018 સુધીનો સરકારને સમય આપ્યો છે અને જો સરકાર અમારી માંગો સ્વીકાર નહિ કરે તો અમે આંદોલન કરવા માટે મજબૂર થઈશુ.'
કેટલાક દલિત સંગઠન સંયુક્ત સચિવ સ્તર પર અધિકારીઓની લેટરલ એન્ટ્રી સામે વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના આંદોલનનું નેતૃત્વ કરનાર અશોક ભારતીએ વન ઈન્ડિયાને જણાવ્યુ કે તે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચંદીગઢ સહિત તમામ દલિત સંગઠનો સાથે મુલાકાત કરી રહ્યા છે. 'અમે 30 ઓગસ્ટ, 2018 સુધીનો સરકારને સમય આપ્યો છે અને જો સરકાર અમારી માંગો સ્વીકાર નહિ કરે તો અમે આંદોલન કરવા માટે મજબૂર થઈશુ.' તેમણે કહ્યુ કે તેઓ એ લોકોને મળી રહ્યા છે જે સરકારથી ખુશ નથી જેમકે ઓઆરઓપી અંગે તેના વિરોધમાં પ્રદર્શન કરનારા પર પણ નજર છે.

જો કે ભાજપના સાંસદ અને એસસી એસટી સંગઠનના અખિલ ભારતીય સંઘના અધ્યક્ષ ઉદિત રાજે બાદમાં પ્રવેશના માધ્યમથી આવનારા લોકો માટે અનામતની માંગ કરી છે અને કહ્યુ કે દલિત સમુદાયમાં સારા અધિકારીઓની કોઈ કમી નથી પરંતુ તેમને યોગ્ય જવાબદારીઓ આપવામાં આવવી જોઈએ. તેમણે આગળ કહ્યુ કે સંયુક્ત સચિવના દસ પદોની નિયુક્તિ ખાનગી સંસ્થાઓના લોકો દ્વારા ભરવામાં આવી રહી છે જે અનામત નીતિનું ઉલ્લંઘન છે. એટલા માટે તેમણે એસસી એસટી અને ઓબીસીના અનામતની માંગ કરી છે. તેલુગુદેશમ પાર્ટી જે હાલમાં એનડીએથી અલગ થઈ છે તેનું માનવુ છે કે આ નિયુક્તિઓ સંખ્યામાં ખૂબ ઓછી છે. એટલા માટે તે અનામત નીતિને બહુ પ્રભાવિત નહિ કરે.
વન ઈન્ડિયા સાથે વાત કરતા તેલુગુદેશમ પાર્ટીના એમપી પી રવિન્દ્ર બાબુએ કહ્યુ કે આ એક પ્રકારની વિશેષ જવાબદારી હશે જેને નોકરીની સાથે સોંપવામાં આવશે. તે સારા પરિણામ આપશે અને પાછા જશે. વાસ્તવમાં તે અનામત નીતિને પ્રભાવિત નહિ કરે. પરંતુ સરકાર આ મામલે દ્રઢ છે અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર કુમાર કહે છે કે સરકાર આ પગલુ પાછુ નહિ લે. પ્રસ્તાવ સાથે સરકાર આગળ વધશે. અશોક ભારતી જેમણે 2 એપ્રિલે ભારત બંધ બોલાવ્યુ હતુ તેમણે કહ્યુ કે દલિતોમાં ઘણો ગુસ્સો છે. તેમના માટે આ સંવિધાનિક તંત્રને વણજોયુ કરવા સમાન છે જે મહત્વની સરકારી નોકરીઓ માટે ભરતી માટે અનિવાર્ય છે. આનો વિરોધ એક સંદેશ આપવાની કોશિશ છે કે જો તેમની મુશ્કેલીઓ પર સરકાર ધ્યાન નહિ આપે તો દલિત ભાજપને 2019 માં લોકસભા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
