'જ્યાં અરજ લખવાથી હનુમાનજી પુરી કરે છે મનોકામના'

આ મંદિર કામેશ્વર સિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સામે તળાવના કિનારે મોતીમહેલ વિસ્તારમાં છે. મંદિરના આગળ અને પાછળના ભાગમાં તળાવ છે. મહાવીર મંદિરની વિશેષતા અને માન્યતાના કારણે તેને 'મનોકામના મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકોનું કહેવું છે કે લોકો સંગેમરમરની દિવાલો પોતાની અરજ લખે છે અને તેમની મનોકામના પુર્ણ થાય છે. આ વર્ષો જુના મંદિરની દેખરેખ કામેશ્વર ન્યાસ બોર્ડના હેઠળ કામ કરે છે. કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના દરભંગાના રાજા રામેશ્વર સિંગે કરાવી હતી.
મંદિરના પુજારી ધુરવકાંત ઝાએ આઇએએનએસને જણાવ્યું હતું કે આ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુ હનુમાનજીની પુજા કરવા આવે છે, જેમાંથી મોટાભાગના લોકો ફક્ત પોતાની મનોકામના લખવા માટે આવે છે. મહાવીર જયંતી અને રામનવમી સહિત મંગળવાર અને શનિવારના રોજ ભક્તોની સંખ્યા વધી જાય છે. દરભંગા રાજ પરિસરમાં હોવાથી આ મંદિરની આસપાસ કેટલાક મહેલ, બગીચા અને તળાવ છે. મંદિરના તળાવની સાથે લલિત નારાયણ મિથિલા વિશ્વવિદ્યાલયનું કેન્દ્રિય લાયબ્રેરી આવેલું છે અને લાઇબ્રેરીની આગળ જનકવિ નાગાર્જુનની પ્રતિમા તાજેતરમાં સ્થાપિત કરવામાં આવી છે.
મંદિરના પુજારીનું કહેવું છે કે આમ તો ભક્તો દરેક પ્રકારની મનોકામના લઇને આવે છે, પરંતુ તેમાં લગ્ન સંબંધી તથા પુત્ર પ્રાપ્તિવાળા લોકોની સંખ્યા સૌથી વધારે છે. તેઓ કહે છે કે મનોકામના પૂર્ણ થયા બાદ લોકો ફરીથી આ મંદિરમાં આવે છે અને પુજા કરીને લાડવા ચઢાવે છે. દરભંગાના પ્રકાશ ઝા કહે છે કે આ મંદિરમાં માંગેલી મનોકામના ક્યારેય અધૂરી રહેતી નથી. શાનદાર નકશીકામવાળા આ મંદિરની ઉંચાઇ ઓછી છે. લોકોને નમીને મંદિરમાં પ્રવેશ કરવો પડે છે, પરંતુ જેમની મનોકામના પુર્ણ થાય છે તેમના માટે આ મોટું મંદિર છે.
તે કહે છે કે ''લોકોનું કહેવું છે કે રાજાએ તેમના કોઇ સંબંધી માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સંબંધી નીચા કદના હતા.'' તેમને કહ્યું હતું કે માનતા માંગનારાઓમાં યુવક-યુવતિઓની સંખ્યા સૌથી વધારે હોય છે. માનતા પુરી થયા બાદ ભક્તો બજરંગબલીને પ્રસાદના રૂપમાં લાડવા ચડાવે છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
