'શૂટર તૈયાર હતા મુંબઇ પોલીસની ગદ્દારીથી બચી ગયો દાઉદ'
નવી દિલ્હી, 24 ઓગસ્ટ: અમેરિકાની તર્જ પર ભારતે પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઘુસીને મારવા માટે એક સિક્રેટ ઓપરેશન બનાવ્યું હતું પરંતુ મુંબઇના કેટલાંક ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે એવું સંભવ થઇ શક્યું નહીં. આ ચોંકાવનારો ખુલાસો ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ગૃહ સચિવ આરકે સિંહે કર્યો છે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં આરકે સિંહે ખુલાસો કર્યો છે કે પોલીસના કેટલાંક અધિકારી દાઉદ ઇબ્રાહિમ સાથે મળેલા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે અટલ બિહારી વાજપેઇ વડાપ્રધાનમંત્રી હતા ત્યારે જ દાઉદને ભારત લાવવાની યોજના પર કાર્ય શરૂ થઇ ગયું હતું.
તે સમયે દાઉદને ખતમ કરવા માટે ભારત સરકારે કેટલાંક લોકોને ઓપરેશન સાથે જોડ્યા અને તેમને ગુપ્ત ઠેકાણે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. જોકે દાઉદ સાથે મળેલ મુંબઇના પોલીસના કેટલાંક અધિકારીઓ તેમની ધરપકડ કરવા માટે પહોંચી ગયા અને જણાવ્યું હતું કે તેમની પાસે ટ્રેનિંગ લઇ રહેલા લોકો વિરુદ્ધ વોરંટ છે.

સિંહે જણાવ્યું કે પાકિસ્તાન ક્યારેય નહીં કહે કે દાઉદ ત્યા છે. તેમણે જણાવ્યું કે જો તેને પાછો લાવવો હોય તો અન્ય રીતો અપનાવી પડશે. તેમણે જણાવ્યું કે આ અભિયાન માટે અન્ય ગ્રુપોને ધન ઉપલબ્ધ કરાવીને ટ્રેનિંગ આપી શકાય છે.
એ પૂછાતા કે આ પ્રકારના અભિયાનના પગલે ભારતીય એજેન્સીઓને શું રોકી રહ્યો છે, સિંહે જણાવ્યું કે રાજનૈતિક દ્રઢતા અને નિર્ણય. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રીને કહેવું પડશે કે આવું કંઇ કરાઇ રહ્યું છે, ત્યાર પછી જ તે સંભવ છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
