મમતાના આરોપોથી સેનાનું મનોબળ ઘટવાનો ખતરો: મનોહર પારિકર
સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે દીદીને પત્ર લખીને સેનાને વિવાદમાં ઘસડવા પર વ્યક્ત કર્યુ પોતાનું દુખ. પરિકરે કહ્યુ કે મમતાના નિવેદન સેનાના મનોબળ ઘટાડનારા છે...
છેલ્લા થોડા દિવસોથી ભારતીય સેનાને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે વિવાદમાં ઘસડ્યુ તેના પર સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે તેમને પત્ર લખ્યો છે. પારિકરે પત્રમાં મમતા બેનર્જીને લખ્યુ છે કે તેમનુ પગલુ સેનાનું મનોબળ ઘટાડનારુ છે.

પારિકરે વ્યક્ત કર્યુ પોતાનું દુખ
પારિકરે પત્રમાં સેનાને વિવાદમાં ઘસડવા પર પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે. એક અઠવાડિયા પહેલા સીએમ મમતા બેનર્જીએ ટોલ નાકાઓ પર સેનાની હાજરી પર સવાલો ઉભા કર્યા હતા. મમતાએ સેના પર તખ્તાપલટની કોશિશો જેવા સંગીન આરોપો પણ લગાવ્યા હતા. ત્યારબાદ સેનાને પોતે સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી કે જે સૈનિકો ટોલ નાકા પર હાજર હતા તે માત્ર એક નિયમિત અભ્યાસના ભાગ રુપે હતુ.

સેના પર પૈસા વસૂલવાનો આરોપ
મમતા સરકાર તરફથી સેના પર લોકો પાસેથી પૈસા વસૂલવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આના કારણે સંસદમાં હોબાળો પણ શરુ થયો છે અને સંરક્ષણ પ્રધાને સંસદમાં કહ્યુ કે સેનાને આ રીતે વિવાદમાં ઘસડવાનું ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે. પારિકરે પોતાના પત્રમાં લખ્યુ છે કે, 'તમારા દ્વારા સેનાને આ રીતે વિવાદમાં ઘસડવા પર મને ઘણુ દુખ થયુ છે. જો તમે રાજ્યની એજંસીઓને પૂછ્યુ હોત તો પણ તમને આ અભ્યાસ વિશે જાણકારી મળી જાત.'

ભારતીય સેના સૌથી વધુ અનુશાસિત
પારિકરે પોતાના પત્રમાં આગળ લખ્યુ છે, 'ભારતીય સેના દેશના સૌથી અનુશાસિત સંસ્થાનોમાંની એક છે. તે આપણા દેશની રક્ષા અને સુરક્ષા માટે સમર્પિત છે. દેશને આપણી સેના પર ગર્વ છે. તમારા આરોપો બાદ સેનાનું મનોબળ ઘટવાનો ખતરો વધી ગયો છે. આર્મી ઓથોરિટીઝને તે પત્રોને પુરાવા રુપે આપવા માટે મજબૂર થવુ પડ્યુ જે તેમણે રાજ્યની પોલિસને લખ્યા હતા.

સેનાને પ્રેસ કોંફરંસ બોલાવવી પડી હતી
મમતાના આરોપો બાદ સેનાના ઇસ્ટર્ન કમાંડના ઓફિસર મેજર જનરલ સુનીલ યાદવને પ્રેસ કોંફરંસ કરવી પડી હતી. તેમણે જાણકારી આપી હતી કે ઇસ્ટર્ન કમાંડ દ્વારા દર વર્ષે થતી ડેટા કલેક્શન એક્સરસાઇઝ ચાલી રહી હતી. આ અભ્યાસમાં સ્થાનિક પોલિસ સાથે મળીને દરેક રાજ્યના એંટ્રી પોઇંટ પર લોડ કેરિયર્સની ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવવામાં આવી રહી હતી.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
