કુમાર વિશ્વાસે સીએમ અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી તો લોકોએ કહ્યુ ‘કુંઠિત કવિ'
કવિ અને નેતા કુમાર વિશ્વાસ ઘણીવાર આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહે છે. જાણો આજે શું કહ્યુ.
કવિ અને નેતા કુમાર વિશ્વાસ ઘણીવાર આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહે છે. આજે દિલ્લીમાં 70 વિધાનસભાની સીટો પર મતદાન દરમિયાન તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, 'આ કલંક ધોવાનો સમય છે. કુમાર વિશ્વાસના આ ટ્વિટ પર લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને કહ્યુ, છેલ્લા 5 વર્ષોના કલંક ધોવાનો આ સમય છે. દિલ્લીવાળા મતની થપાટથી સમાજ, દેશ, આશાઓ, સેના, મિત્રતા તેમજ ભરોસાની હત્યા કરનાર રાજકીય એડ્ઝ આત્મમુગ્ધ ખરાબ લોકોના મનસૂબા ધ્વસ્ત કરવાનો સમય છે, નીકળો ઘરોમાંથી, બતાવો કે બનાવી શકીએ છે તો અહંકારી શિશુપાલોને મિટાવી પણ શકીએ છે.'












Click it and Unblock the Notifications
