નવા IT નિયમો માટે ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વધ્યો વિવાદ, હાઈકોર્ટે ટ્વિટર ઈન્ડિયાને આપી નોટિસ
નવા IT નિયમો માટે ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ વધી ગયો છે. હાઈકોર્ટે ટ્વિટર ઈન્ડિયાને નોટિસ આપી છે.
નવી દિલ્લીઃ નવા IT નિયમોનુ પાલન ન કરવા અંગે ટ્વિટર સામે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર હાઈકોર્ટે સોમવારે સુનાવણી કરી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સૂચના પ્રોદ્યોગિકી(મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021નુ કથિત રીતે પાલન ન કરવા અંગે એક નોટિસ જારી કરી છે.
ટ્વિટરે ભારત સરકારના નવા IT નિયમોનો કર્યો વિરોધ
તમને જણાવી દઈએ કે ભારત સરકારના નવા આઈટી નિયમો જાહેર થયા બાદ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મે નવા નિયમોના પાલનની વાત કહી હતી પરંતુ ટ્વિટરે આવુ ન કર્યુ. ટ્વિટર ઈન્ડિયાએ ભારત સરકારના નવા નિયમોનો વિરોધ કર્યો જેના માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. આ અરજી વકીલ અમિત આચાર્ય દ્વારા દાખલ કરવામાં આવી છે.
હાઈકોર્ટમાં ટ્વિટરે આપી આ દલીલ
સોમવારે સુનાવણી દરમિયાન ટ્વિટરે અદાલતને જણાવ્યુ કે તે સોગંદનામુ દાખલ કરશે. ટ્વિટરનુ કહેવુ છે કે તેમણે સૂચના પ્રૌદ્યોગિકી(મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021 અનુપાલન કર્યુ છે. ટ્વિટરે જણાવ્યુ કે તેમણે 28 મેના રોજ રેસિડેન્ટ ગ્રિએવન્સ ઑફિસરની નિમણૂક કરી દીધી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 6 જુલાઈના રોજ થશે.