બજારની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને દિલ્લી સરકારે શરુ કર્યા ઘણા ITI કોર્સ
ઉદ્યોગ અને બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દિલ્લી સરકારે ITIમાં ઘણા અભ્યાસક્રમો શરૂ કર્યા છે. જાણો મનીષ સિસોદિયાએ શું કહ્યુ.
Delhi ITI Courses: આઈટીઆઈ ખિચરીપુર(ITI Khichripur)માં છાત્રો સાથે સંવાદ કરીને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિદ્યાર્થીઓને આઈટીઆઈ પછી તેમના કરિયર અને કોર્સના મહત્વ વિશે વાત કરી. તેમણે કહ્યુ કે ITI જેવી પ્રશિક્ષણ સંસ્થામાંથી બહાર આવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા સાથે ભારતના વિકાસ માટે એક નવો અધ્યાય શરૂ કરશે. આપણો દેશ ત્યારે જ વિકાસ કરશે જ્યારે દેશના દરેક યુવાનોમાં કૌશલ્ય હશે. તમને જણાવી દઈએ કે ઉદ્યોગ અને બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દિલ્લી સરકારે ITIમાં ઘણા અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

દિલ્લી સરકારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે આ ITIsમાં અભ્યાસ કરતા લગભગ 100% બાળકો ફર્મોમાં મૂકવામાં આવે છે અને અન્ય પોતાનુ સાહસ શરૂ કરવા માટે કુશળ છે. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને એ પણ પૂછ્યુ કે શા માટે તેઓ પ્રોફેશનલ કોર્સ કરી રહ્યા છે જે તેઓ 10મા પછી, 11મા-12મા ધોરણ અને ગ્રેજ્યુએશન પછી પણ કરી શકે છે. વિદ્યાર્થીઓએ કહ્યુ કે જ્યારે તેઓ શાળામાં હતા ત્યારે તેમને વિશ્વાસ નહોતો કે તેઓ તેમની કારકિર્દીની આકાંક્ષાઓ પૂરી કરી શકશે કે નહિ. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યુ હતુ કે તેઓને વિશ્વાસ પણ નહોતો કે તેઓ ભવિષ્યમાં કંઈક હાંસલ કરી શકશે. પરંતુ જ્યારથી તે ITIમાં આવ્યા છે ત્યારથી તેમને પોતાના વ્યાવસાયિક સપનાને આગળ વધારવાનો આત્મવિશ્વાસ પણ મળ્યો છે.












Click it and Unblock the Notifications
