નોટબંધી પછી પૈસા જમા કરાવવા પર સરકારે કરી આ જાહેરાત
8 નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને રદ્દ કર્યા પછી હવે પૈસા જમા કરવવા પર સરકારની નવી જાહેરાત શું છે જાણો અહીં
નોટબંધીની જાહેરાત પછી નરેન્દ્ર મોદી સરકારે સોમવારે એક અન્ય મોટી જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ જાહેરાત મુજબ જૂની નોટોને જમા કરવવાની સીમા હવે 5000 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે. જૂની નોટો તમે એક વખતમાં ખાલી 5000 રૂપિયા સુધી જ જમા કરાવી શકશો.

નાણાં મંત્રાલયના આદેશ મુજબ 30 ડિસેમ્બર સુધી જૂની નોટો જમા કરવવાની સીમામાં હવે તમે એક વખતમાં ખાલી 5000 રૂપિયા સુધી જ નોટ જમા કરાવી શકશો. વધુમાં નાણાં મંત્રાલયે પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે જો કોઇ વ્યક્તિ 5000 રૂપિયાથી વધુ રૂપિયાની જૂની નોટ પોતાના એકાઉન્ટમાં જમા કરાવે છે. તો તેને આ સવાલોના જવાબ પણ આપવા પડશે. તેને જણાવું પડશે કે આ પહેલા તેણે નોટ બેંકમાં કેમ જમા નહતા કરાવ્યા.
નવી નોટો પર કોઇ લિમિટ નહીં.
તે સિવાય 5000 રૂપિયાથી વધુ જૂની નોટો તે જ એકાઉન્ટમાં જમા કરાવી શકાશે જેમાં કેવાયસી એક્ટિવેટ હોય. નોંધનીય છે કે નવી નોટોને જમા કરાવવાને લઇને કોઇ પણ લિમિટ લાગુ નથી પાડવામાં આવી. આ નિયમ ખાલી જૂની નોટોના જમા કરાવવા પર જ લાગુ છે.












Click it and Unblock the Notifications
