Delhi News: સગીરા રેપ પીડિતાને મળવાની જિદ્દ પર સ્વાતિ માલીવાલ, હોસ્પિટલમાં ધરણા પર બેઠી
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ રાજધાનીની તે હોસ્પિટલમાં ધરણા પર બેઠી છે જ્યાં સગીરા રેપ પીડિતાને ભરતી કરવામાં આવી હતી. સ્વાતિ માલીવાલનુ કહેવુ છેકે, હુ સવારથી અંહિયા હાજર છુ. હજી સુધી દિલ્હી પોલીસ મને પીડિતા અે તેના પરિવાર સાથે મળવાની પરવાંગી નથી આપી. એનસીપીસીઆરને અનુમતિ આપવામાં આવી હતી. પરંતુ ડીસીડબ્યુને અનુમતિ નથી આપવામાં આવતી.

સ્વાતિ માલીવાલે કહ્યુ કે, હુ ત્યાં સુધી નહી જવ જ્યાં સુધી મને પીડિતા સાથે મળવાની અનુમતિ નહી આપવામાં આવે. હું જાણવા માગુ છુ કે, તેને દરેક પ્રકારની સંભવ મદદ મળી રહી છે કે નહી? તેનુ યોગ્ય ઇલાજ કરવામાં આવી રહ્યો છે કે, નહી. મહિલા પૈનલે જણાવ્યુ હતુ કે, હોસ્પિટલમાં નિદ્રેશકનું કહેવુછે કે, હોસ્પિટલની અદંર હાજર દિલ્હી પોલીસના ડીસીપી અે એસીપી એ ડીસીડબ્લ્યુના પ્રમુખને પીડિતા સાથે મળવાની અનુમતિ નહી આપવા માટે કહ્યુ છે.
માલિવાલે કહ્યુ કે, આ આશ્ચર્યચકીત કરનાર વાત છે. આરોપીની વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ 8 દિવસ બાદ પણ દિલ્હી પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી. મને દિલ્હી પોલીસે કહેવા પર મને પીડીતાને મળવાની અનુમતિ નથી આપવામાં આવી. હું પીડિતાને મળીશ અને દરેક પ્રકારની સંભવ મદદ કરીશ.












Click it and Unblock the Notifications
