For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્ગીનો બબળાટઃ '10 માથાવાળા થઇ ગયા છે નરેન્દ્ર મોદી'

By Super
|
Google Oneindia Gujarati News

digvijay singh
ભોપાલ, 29 નવેમ્બર: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રહાર કર્યો છે. તેમણે મોદીના 3ડી પ્રચારની તુલના રામાયણના '10 માથાવાળા' વ્યક્તિ સાથે કરી છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના પ્રવાસ પર આવેલા સિંહે ગુરવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન મોદીએ 3ડી પ્રચાર પર પ્રશ્નો ખડા કર્યા છે.

તેમણે કહ્યું કે 3ડી ટેક્નોલોજીથી મોદી એક સ્થાને બોલશે અને 10 જગ્યાઓ સુધી તેમની વાત પહોંચશે. આતો રામાયણના એ વ્યક્તિ સમાન છે, જેને '10 માથા હતા', આ જ હાલ મોદીનો છે.

સાથે જ કેન્દ્ર સરકારની સબસિડીના પૈસાને સીધા ખાતામાં જમા કરવામાં આવેલા નિર્ણય અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સિંહે કહ્યું કે, તેનો વિરોધ મધ્યસ્થી અને દલાલો કરી રહ્યાં છે કારણ કે તેનાથી તેમના નફા પર કાપ આવી જશે.

નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નવો કીમિયો અપનાવતા 3ડી અભિયાન શરૂ કર્યું છે. જેનો વિરોધ કોંગ્રેસ અને જીપીપી દ્વારા કરવામાં આવ્યો છે. આ વિરોધમાં અત્યારસુધી ગુજરાતના જ નેતા હતા પરંતુ હવે દિગ્વિજય સિંહે પણ આ વિરોધમાં હસ્તક્ષેપ કર્યો છે.

English summary
Congress General Secretary Digvijay Singh on Thursday invoked 'Ramayana' to take a dig at the 3D extravaganza launched by Gujarat Chief Minister Narendra Modi in the run-up to the Assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X