CBIને સ્વતંત્રતા આપવા સામે દિગ્વિજય સિંહનો વિરોધ

કોંગ્રેસ નેતાએ આ ટિપ્પણી એવા સમયે કરી છે, જ્યારે કોલસા ઘોટાળાનો સ્ટેટસ રિપોર્ટ સરકારને બતાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની તીખી ટિકા કરી છે. એક ટિપ્પણીમાં કોર્ટે એ પણ જણાવ્યું કે સીબીઆઇ સરકારના માટે પોપટ સમાન બની રહી ગઇ છે. સિંહે આ તુલના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ટ્વિટર પર તેમણે કહ્યું હતું કે સીબીઆઇને પોપટ સાથે સરખાવી શું આપણે આપણી સંસ્થાઓને નીચે નથી દેખાડી રહ્યા.
ક્રિકેટની સ્પોટ ફિક્સિંગને લઇને પણ કોંગ્રેસ નેતાએ પોતાની ટ્વિટર એકાઉન્ટ પર ટિપ્પણી કરી છે. તેમણે આને રાજનૈતિક રંગ આપતા વ્યંગ કર્યો છે કે મને નથી ખબર કે કેટલા લોકોએ ભાજપા નેતા વરુણ ગાંધી અને સમાજવાદી પાર્ટીની વચ્ચે ચાલી રહેલી મેચ ફિક્સિંગ પર ધ્યાન નાખ્યું છે.
આઇપીએલનો બચાવ કરતા તેમણે જણાવ્યું કે સ્પોટ ફિક્સિંગમાં લાગેલા ખેલાડીઓને તો જીવનભર માટે પ્રતિબંધ લગાવી દેવો જોઇએ પરંતુ આઇપીએલને શા માટે દોષ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે ન્હાવાના પાણીની સાથે આપણે બાળકને તો બહાર ના ફેંકી શકીએ.












Click it and Unblock the Notifications
