ટ્વિટર પર દિગ્વિજયનો સવાલ: અયોધ્યાની મેચ ફિક્સ તો નથી ને?
નવી દિલ્હી, વિશ્વ હિન્દુ પરિષદની 84 કોસી પરિક્રમા યાત્રા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ટ્વિટર પર સવાલ ઉટાવતા કટાક્ષી પ્રશ્ન કર્યો કે અયોધ્યાની મેચ ફિક્સ તો નથી ને?
સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર દિગ્વિજયે જણાવ્યું કે 'અયોધ્યાની મેચ ફિક્સ છે?' દિગ્વિજયનો ઇશારો યાત્રાને લઇને ભાજપા અને ઉત્તર પ્રદેશની સપા સરકારની સાથે મિલીભગત તરફ છે.

દિગ્વિજય આ પહેલા પણ ભાજપા પર રાજનીતિનું સાંપ્રદાયિકરણ અને ધ્રુવીકરણ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. કોંગ્રેસ મહાસચિવે ટ્વિટવ કર્યા બાદ જણાવ્યું હતું કે અયોધ્યામાં ચૈત્રમાં 84 કોસી પરિક્રમાં ખૂબ જ જૂની પરંપરા છે. હવે વિહિપ રાજનૈતિક ઇરાજાથી આ પરિક્રમાને રામ મંદિર માટે શરૂ કરવા માંગે છે.












Click it and Unblock the Notifications
