DMK પ્રમુખ એમકે સ્ટાલિને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
એમકે સ્ટાલિન આજે શુક્રવાર(7 મે, 2021)ના રોજ રાજભવન ખાતે એક સાદા સમારંભમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
ચેન્નઈ(તમિલનાડુ): દ્વવિડ મુનેત્ર કડગમ([ડીએમકે) પ્રમુખ એમકે સ્ટાલિન આજે શુક્રવાર(7 મે, 2021)ના રોજ રાજભવન ખાતે એક સાદા સમારંભમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે શપથ અપાવ્યા. એમકે સ્ટાલિની સાથે અન્ય 33 મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં 19 પૂર્વ મંત્રીઓ અને 15 નવા ચહેરા શામેલ છે. નવા મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરનારમાં બે મહિલાઓ પણ શામેલ છે.

એમકે સ્ટાલિનને રાજ્યપાલે અપાવ્યા શપથ
એમકે સ્ટાલિનને સીએમ ઉપરાંત તમિલનાડુના ગૃહમંત્રી તરીકે પણ શપથ અપાવવામાં આવી છે. આ ઉપરાંત તેમની પાસે પ્રશાસનિક અને પોલિસ સેવાઓ, વિશેષ યોજનાઓ અને દિવ્યાંગજનોની કલ્યાણ યોજનાઓનો પોર્ટફોલિયો પણ રહેશે.

પાર્ટી નેતા દુરઈ મુરગને પણ લીધા શપથ
પાર્ટી નેતા દુરઈ મુરગને જળ સંશાધન મંત્રી તરીકે શપથ લીધા હતા. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ગુરુવારે મંત્રી તરીકે શપથ લેનાર જીતાયેલા ઉમેદવારો અને તેમના પોર્ટફોલિયોને મંજૂરી આપી હતી. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને મંત્રીઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે ડીએમકે ગઠબંધને બહુમત મેળવી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે.

ડીએમકેને છઠ્ઠી વાર શાસન કરવાની તક
ઉલ્લેખનીય છે કે 2મેએ જાહેર થયેલા તમિલનાડુ વિધાનસભા પરિણામોમાં ડીએમકેએ એઆઈએડીએમકેને સત્તામાંથી બહાર કરી દીધુ હતુ. તમિલનાડુના ઈતિહાસમાં ડીએમકેને છઠ્ઠી વાર શાસન કરવાની તક મળી છે. 234 સીટોની વિધાનસભામાંથી ડીએમકે ગઠબંધનને 159 સીટો મળી હતી જેમાંથી 133 ડીએમકે, કોંગ્રેસને 18, વીસીકેને 4 અને સીપીએમ, સીપીઆઈને 2-2 સીટો મળી હતી. એઆઈએડીએમકે ગઠબંધનને માત્ર 75 સીટો મળી હતી જેમાંથી ભાજપની માત્ર 4 સીટો હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
