આધાર બિલકુલ સુરક્ષિત, પરંતુ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું: UIDAI
યુનિક આઇડેન્ટિફિકેશન ઔરથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ઘ્વારા લોકોને આધાર નંબર અથવા આધાર કાર્ડ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે.
યુનિક આઇડેન્ટિફિકેશન ઔરથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ઘ્વારા લોકોને આધાર નંબર અથવા આધાર કાર્ડ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે. યુઆઈડીએઆઈ ઘ્વારા આધાર નંબર સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવા માટે અપીલ કરી છે. યુઆઈડીએઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આધાર બિલકુલ સુરક્ષિત છે પરંતુ બીજા ઓળખપત્ર જેવા કે પેનકાર્ડ અથવા ડેબિટ કાર્ડ સુરક્ષા કારણોસર સોશ્યિલ મીડિયા પર શેર નથી કરતા બિલકુલ તેવી જ રીતે આધાર પણ સુરક્ષા કારણોથી સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું જોઈએ.

આધાર નંબર શેર નહીં કરવાની સલાહ
લોકો ઘ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં યુઆઈડીએઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સોશ્યિલ મીડિયા પર આધાર નંબર શેર નહીં કરવાની સલાહનો મતલબ એવો નથી કે આધાર સુરક્ષિત નથી. આધાર બિલકુલ સુરક્ષિત છે અને લોકો તેનો ગભરાયા વિના ઉપયોગ કરી શકે છે. પરંતુ જેવી રીતે આપણે બીજા ઓળખપત્રોની ઓળખ ગુપ્ત રાખીયે છે તેવી જ રીતે આધારકાર્ડ ઓળખ પણ ગુપ્ત રાખવી જોઈએ.

આધારકાર્ડને બીજા ઓળખપત્રો કરતા પણ વધારે સુરક્ષિત ગણાવ્યું
યુઆઈડીએઆઈ ઘ્વારા આધારકાર્ડને બીજા ઓળખપત્રો કરતા પણ વધારે સુરક્ષિત ગણાવ્યું છે. તેમને જણાવ્યું કે આધારનો ખોટો ઉપયોગ થાય તેવી આશંકા ખુબ જ ઓછી છે. તેની પાછળ કારણ છે કે આધારમાં સુરક્ષા માટે ઘણા માનકો છે, જેમાં ફિંગરપ્રિન્ટ, સ્કેન, ઓટીપી અને ક્યુઆર કોડનો સમાવેશ થાય છે. જેથી આધાર બીજા ઓળખપત્રો કરતા પણ વધારે સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર UIDAI ના હેલ્પલાઈન નંબરનો વિવાદ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર UIDAI ના હેલ્પલાઈન નંબરનો વિવાદ ચર્ચાઈ રહ્યો છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં આપોઆપ UIDAI નો હેલ્પલાઈન નંબર સેવ થવા અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. ફોનમાં આ નંબર કેવી રીતે આવ્યો ક્યાંથી આવ્યો આ અંગે ચર્ચા થઈ રહી છે. વળી UIDAI એ સ્પષ્ટ કર્યુ કે આ મામલે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે એન્ડ્રોઈડ ફોનમાં જે UIDAI નંબર સેવ છે તે જૂનો છે. UIDAI એ ટ્વિટર પર જણાવ્યુ કે છેલ્લા બે વર્ષોમાં UIDAI નો ટોલ ફ્રા નંબર 1947 છે. તેમણે કહ્યુ કે આ અંગે તેમણે કોઈ પણ ટેલિકોમ ઓપરેટર્સ કે ફોન નિર્માતા કંપનીને કોઈ નિર્દેશ આપ્યા નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
