રાજા ભૈયાની ધરપકડ પર યુપી સરકારે કહ્યું, 'થોડીક રાહ જૂઓ'
લખનઉ, 6 માર્ચઃ કુંડામાં ડીએસપી તરીકે તૈનાત જિલાઉલ હક હત્યાકાંડના મામલે રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાનું નામ આવ્યા બાદ તેમની ધરપકડ કરતા અચકાતી ઉત્તર પ્રદેશ સરકારે આખા મામલાની તપાસનો આદેશ સીબીઆઇને આપ્યા બાદ હવે આ મામલેથી તેણે પોતાના હાથ ખંખેરી લીધા છે. રાજા ભૈયાની ધરપકડને લઇને ઉદ્દભવેલો પ્રશ્ન હજુ યથાવત છે. રાજા ભૈયા વિરુદ્ધ સીઓની પત્ની દ્વારા હત્યાનું ષડયંત્ર કરવાની ફરિયાદ દાખલ કરાવ્યાને બે દિવસ પછી પણ રાજા ભૈયાની ધરપકડ કરવામાં આવી નથી અને ના તો કોઇ પૂછપરછ કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવને જ્યારે મંગળવારે દિલ્હીમાં રાજા ભૈયાની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મામલાની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી છે હવે જે કરવું હશે તે સીબીઆઇ કરશે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રીતા બહુગુણા જોશીએ કહ્યું કે જો પંદર દિવસની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ કુંડાથી લખનઉ સુધી ન્યાય માર્ચ કાઢશે. પરિવારજનો સાથેની મુલાકાત બાદ સીએમ અખિલેશ યાદવે પત્રકારોને કહ્યું કે અમે લોકો મૃતકોના પરિવારજનોને રોજગારી આપવામાં મદદ કરીશું. તેમણે કહ્યું કે પરિવારની એવી કોઇ માંગ નથી કે જેને અમે પૂર્ણ ના કરી શકીએ.
નોંધનીય છે કે કુંડા ક્ષેત્રના વલીપુર ગામમાં શનિવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં ગામના પ્રધાન નન્હે સહિત બે લોકોની હત્યા કરવામાં આવી. ઘટના પર નિયંત્રિત કરવા પહોંચેલા કુંડાના સીઓ જિયા ઉલ હકની પર હિંસા દરમિયાન ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
