ગોવા વિધાનસભા ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો ચૂંટણી પંચનો આદેશ
ગોવામાં પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપના લોકો તમારી પાસે રોકડા લઇને આવશે, જો એ લોકો તમને 5000 રૂપિયા આપે, તો મોંઘવારીને ધ્યાનમાં રાખી તમે એમની પાસે 10,000 રૂપિયા માં
ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, આ જ મહિને ગોવામાં યોજાયેલી ચૂંટણી સંબંધિત એક રેલીમાં અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધતાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ અને ભાજપના લોકો જો રોકડા લઇને તમારી પાસે મત માંગવા આવે તો પૈસા લઇ લેજો અને મત આમ આદમી પાર્ટીને આપજો!' હવે ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર કડક પગલું ભર્યું છે.

EC directs necessary legal action be initiated by filing an FIR/complaint against Arvind Kejriwal for statements on & after 8 Jan in Goa
— ANI (@ANI_news) January 29, 2017
ચૂંટણી પંચે કેજરીવાલને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો તેઓ આ રીતે જ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને મુશ્કેલી ભોગવવી પડશે. સાથે જ ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ કરવા જેવા કડક પગલા ભરવાની પણ ચીમકી આપી હતી. આ પહેલાં 16 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચ તરફથી 'કારણ જણાવો'ની નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી.
તો સામે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચના આ નિર્ણયને અયોગ્ય ગણાવતાં ટ્વીટ કર્યું છે, તેમણે લખ્યું છેઃ 'મારી વિરુદ્ધનો ચૂંટણી પંચનો નિર્ણય ખોટો છે. તેમણે ન્યાયાલયના આદેશ પર ધ્યાન નથી આપ્યું. હું ચૂંટણી પંચના આ નિર્ણયને ન્યાયાલયમાં પડકારીશ.'
-
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો












Click it and Unblock the Notifications
