Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગોવા વિધાનસભા ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો ચૂંટણી પંચનો આદેશ

ગોવામાં પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપના લોકો તમારી પાસે રોકડા લઇને આવશે, જો એ લોકો તમને 5000 રૂપિયા આપે, તો મોંઘવારીને ધ્યાનમાં રાખી તમે એમની પાસે 10,000 રૂપિયા માં

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, આ જ મહિને ગોવામાં યોજાયેલી ચૂંટણી સંબંધિત એક રેલીમાં અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધતાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ અને ભાજપના લોકો જો રોકડા લઇને તમારી પાસે મત માંગવા આવે તો પૈસા લઇ લેજો અને મત આમ આદમી પાર્ટીને આપજો!' હવે ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર કડક પગલું ભર્યું છે.

arvind kejriwal

ચૂંટણી પંચે કેજરીવાલને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો તેઓ આ રીતે જ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને મુશ્કેલી ભોગવવી પડશે. સાથે જ ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ કરવા જેવા કડક પગલા ભરવાની પણ ચીમકી આપી હતી. આ પહેલાં 16 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચ તરફથી 'કારણ જણાવો'ની નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી.

તો સામે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચના આ નિર્ણયને અયોગ્ય ગણાવતાં ટ્વીટ કર્યું છે, તેમણે લખ્યું છેઃ 'મારી વિરુદ્ધનો ચૂંટણી પંચનો નિર્ણય ખોટો છે. તેમણે ન્યાયાલયના આદેશ પર ધ્યાન નથી આપ્યું. હું ચૂંટણી પંચના આ નિર્ણયને ન્યાયાલયમાં પડકારીશ.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X