Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેશભરમાં ધામધૂમથી મનાવાઈ રહી છે બકરી ઈદ, જાણો આ ખાસ દિવસનું મહત્વ

ઈદ ઉલ અજહા એટલે કે બકરી ઈદનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.

ઈદ ઉલ અજહા એટલે કે બકરી ઈદનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ દેશભરની મસ્જિદો અને ઈદગાહોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ નમાઝ પઢી. ખાસ કરીને દિલ્લીની જામા મસ્જિદમાં આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ નમાઝ પઢી અને એકબીજોને ઈદ મુબારક કહ્યુ. બાળકોમાં ઈદ માટે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઈસ્લામ ધર્મમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે.

કુર્બાનીના પર્વ ‘બકરી ઈદ'

કુર્બાનીનો પર્વ ‘બકરી ઈદ' ઘણી રીતે ખાસ છે અને એક વિશેષ સંદેશ લોકોને આપે છે. બકરી ઈદને અરબીમાં ઈદ ઉલ જુહા કહે છે. ઈસ્લામિક માન્યતા અનુસાર હઝરત ઈબ્રાહિમ પોતાના પુત્ર ઈસ્માઈલે આ દિવસે ખાદ ટે કુર્બાન કરવા જઈ રહ્યા હતા તો અલ્લાહે તેમના પુત્રને જીવનદાન આપ્યુ જેની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે. અબીમાં બકરનો અર્થ થાય છે મોટુ જાનવર જે જિબહ (કાપવામાં) કરવામાં આવે છે. ઈદ-એ-કુર્બાનો અર્થ છે ‘બલિદાનની ભાવના' અને ‘કર્બ' નજીકનું કે બહુ નજીક રહેવાને કહે છે એટલે કે આ પ્રસંગે માનવ ભગવાનની ખૂબ નજીક આવી જાય છે.

શું થયુ હતુ

શું થયુ હતુ

હઝરત ઈબ્રાહિમ હંમેશા બુરાઈ સામે લડ્યા, તેમના જીવનનો હેતુ જ જનસેવા હતો. 90 વર્ષની ઉંમર સુધી તેમને કોઈ સંતાન ન થયુ તો તેમણે ખુદાની ઈબાદત કરી ત્યારે તેમને પુત્ર ઈસ્માઈલ મળ્યો. તેમને સપનામાં આદેશ આવ્યો કે ખુદાની રાહમાં કુર્બાની આપો. તેમણે ઘણા જાનવરોની કુર્બાની આપી પરંતુ સપના આવવા બંધ ન થયા. તેમને સપનામાં કહેવામાં આવ્યુ કે તુ તારી સૌથી મનપસંદ વસ્તુની કુર્બાની આપ ત્યારે તેમણે આને ખુદાનો આદેશ માન્યો અને ઈસ્માઈલની કુર્બાની માટે તૈયાર થઈ ગયા.

જાનવરોની કુર્બાની

જાનવરોની કુર્બાની

એવુ કહેવાય છે કે હઝરત ઈબ્રાહિમને લાગ્યુ કે કુર્બાની આપતી વખતે તેમની ભાવનાઓ વચમાં આવી શકે છે એટલા માટે તેમણે પોતાની આંખો પર પટ્ટી બાંધી લીધી હતી પરંતુ જ્યારે તેમણે પટ્ટી ખોલી તો જોયુ કે મક્કા પાસે મિના પર્વતની એ બલિ વેદી પર તેમનો પુત્ર નહિ પરંતુ દુંબા હતુ અને તેમનો પુત્ર તેમની સામે ઉભો હતો. વિશ્વાસની આ પરીક્ષાના સમ્માનમાં દુનિયાભરના મુસલમાન આ પ્રસંગે અલ્લાહમાં પોતાની આસ્થા બતાવવા માટે જાનવરોની કુર્બાની આપે છે.

કુર્બાનીના બકરાનું માંસ ત્રણ ભાગમાં વહેચાય છે

બકરી ઈદના દિવસે સૌથી પહેલા નમાઝ અદા કરવામાં આવે છે. ત્યારબાદ બકરી કે પછી કોઈ અન્ય જાનવરની કુર્બાની આપવામાં આવે છે. કુર્બાનીના બકરાના માંસના ત્રણ ભાગ કરવાની શરીયતમાં સલાહ છે. માંસનો એક ભાગ ગરીબોને, બીજો દોસ્તોને અને ત્રીજો ભાગ ઘર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X