ભાજપમાં કટોકટી : કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી

ભ્રષ્ટાચારને પગલે નીતિન ગડકરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે ચાલુ રાખવા કે નહીં? તથા હિમાચલ પ્રદેશમાં સોંપવામાં આવેલા ચૂંટણી પ્રચારમાંથી પાછા બોલાવી લેવા કે નહીં એ અંગે નિર્ણય લેવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગડકરીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પણ સમર્થન હતું. આ કારણે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત પણ શનિવારે સવારે દિલ્હી પહોંચી રહ્યા છે.
બીજી તરફ નીતિન ગડકરીને ફરી અધ્યક્ષ બનાવવા કે નહીં એ અંગે પાર્ટીમાં વિરોધના સૂર સંભળાવા લાગ્યા છે. પક્ષના અગ્રણી નેતાઓ એલ કે અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, રાજનાથ સિંહ અને મુરલી મનોહર જોશી તેમની વિરુધ્ધ થઇ ગયા છે.












Click it and Unblock the Notifications
