એર એશિયા વિમાનની લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ, ટેક ઓફ વખતે પક્ષી ટકરાતા લેવાનો નિર્ણય
લખનઉમાં એક વિાનની ઇમરજન્સી લેન્ડિંગ થઇ હતી. કોલકાતા જતા સમયે વિમાન સાથે એક પક્ષી ટકરાયુ હતુ.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એર એશિયાની ફઅલાઇટની ઇમરજેન્સી લેન્ડિંગ થઇ હતી. ફ્લાઇટ લખનઉથી કોલકાતા જઇ રહી હતી. પરંતુ ટેક ઓફ પહેલા જ તેની સાથે એક પક્ષી ટકરાઇ ગયુ હતુ. એવામાં પાયલટે વિમાનને નીચે ઉતારવનો નિર્ણય લીધો હતો. હાલમાં વિમાનમાં સવાર તમામ યાત્રી સુરક્ષિત હોવાનં કહેવામાં આવ્યુ છે. તેમને બીજા વિમાનમાં કોલકાતા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જાણવા મળતી માહિતી અનુસાર ઉડાન ભર્યા બાદ અમુક જ સેકન્ડ બાદ પક્ષી વિમાન સાથે ટકરાય ગયુ હતુ. ત્યાર બાદ મોટી દુર્ઘટના થઇ શક્તી હતી. પરંતુ પાયલટની સમજદારી સાથે ફ્લાઇટને લખનઉમાં એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવી દિધુ હતુ. હાલમાં તમામ યાત્રી સુરક્ષિત છે. ટેક્નિકલી ટીમ વિમાનની તપાસ કરી રહ્યા છે સાથે યાત્રીઓ માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઇએ કે, વિમાનની રફ્તાર 200 થી 700 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એવામાં લગભગ 500 ગ્રામનું પક્ષી તેની સાથે ટકારાશે તો તે રફ્તારના લીધે કોઇ પણ ભાગને ક્ષતી પહોચાડી શકે છે. એરપોર્ટ ઓર્થો રીટીએ પક્ષીઓને ભગાડવા માટે સુરક્ષિત ઉપાય કરવામાં આવે છે. તેમ છતા અમુક ઘટના આવી સામે આવી જ જાય છે.
ગયા વર્ષએ 2022 માં મુંબઇ એરપોર્ટ પર આવી ઘટના બની હતી. તે દિવસે અકાસા એરલાઇન્સની ફ્લાઇટે એરપોર્ટથી ઉડાન ભરી હતી. થોડે દુર ગયા બાદ તેની સાથે પક્ષી ટકરાયુ હતુ. આ ઘટના બાદ કેબિનમાં કઇ સળગતુ હોવાની ગંધ આવા લાગી હતી. તેથી વિમાનને તુરંત લેન્ડ કરવામાં આવ્યુ હતુ. જો કે વિમાનનમાં સવાર તમામ યાત્રી સુક્ષિત બચી ગયા હતા.