સુરતથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ
સુરતથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ
Indigo Flight Emergency Landing: યાત્રીઓને લઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાયન્સની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ ફ્લાઈટમાં 172 યાત્રીઓ સવાર હતા. ભોપાલ એપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે ઈન્ડિગો એરલાયન્સની ફ્લાઈટ સુરતથી કોલકાતા જઈ રહી હતી. ટેક્નિકલ ખામીને કારણે ભોપાલ માટે ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી જ્યાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ફ્લાઈટે સેફ લેન્ડિંગ કરી છે અને તેમાં સવાર તમામ 172 યાત્રીઓ સુરક્ષિત છે.
કૃષિ
કાયદાને
લઈ
કોંગ્રેસ
પર
વરસ્યા
ગૃહમંત્રી
અમિત
શાહ,
પૂછ્યું-
તમે
ખેડૂતો
માટે
શું
કર્યું?
ઈન્ડિગોએ નિવેદન આપ્યું
ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગને લઈ ઈન્ડિગો એરલાયન્સે પણ નિવેદન જાહેર કર્યું છે. જેમાં કંપનીએ કહ્યું કે, "પાયલટને ફ્લાઈટમાં ખરાબ દુર્ગંધ મહેસૂસ થયા બાદ સાવધાની તરીકે કોલકાતા જઈ રહેલી ફ્લાઈટને ભોપાલ માટે ડાયવર્ટ કરી દેવામાં આવી. ભોપાલમાં વિમાનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યાત્રીઓને બીજા વિમાનમાં બેસાડવામાં આવ્યા છે."