સુરક્ષાકર્મીઓએ પુલવામા એનકાઉન્ટરમાં એક આતંકીને માર્યો ઠાર, સર્ચ ઑપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. આ એનકાઉન્ટર પુલવામાના ચટપોરા વિસ્તારમાં મોડી રાતે શરુ થયુ હતુ. વિસ્તારમાં હજુ પણ સુરક્ષાકર્મીઓ સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે. જો કે, હજુ સુધી માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ શકી નથી.
બીજી તરફ કુપવાડા એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ વધુ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 4 આતંકીઓને સુરક્ષા જવાનોએ ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ આતંકી શૌકને પણ ઠાર માર્યો છે. આતંકીઓ પાસેથી વાંધાજનક સામગ્રી, હથિયારો, ગનપાઉડર વગેરે મળી આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યુ કે પોલીસે સેના સાથે મળીને કુલ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેમાં બે આતંકવાદીઓ પાકિસ્તાની છે. કુવારા અને કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓ માર્યા ગયા છે.