યોદી આદિત્યનાથ મસ્તનાથ મઠની હરડ પુજા માટે પહોંચ્યા, કહ્યું-ધર્મ બચાવવા બધાનું યોગદાન જરૂરી
રોહતકના અસ્થલ બોહરમાં સ્થિત શ્રી બાબા મસ્તનાથ મઠ ખાતે હરડ પુજાનું આયોજન કરાયુ હતું. આ પુજામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી હતી. અહીં યોગી આદિત્યનાથે ધર્મ બચાવવા માટે હુંકાર ભરી હતી.
નાથ સંપ્રદાયના વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે હરડ પૂજા સંપન્ન થયા બાદ ગુરુ મહારાજ મહંત પીરચંદ નાથ યોગીની સ્મૃતિમાં આત્મા ભંડારા, શંખધલ અને દેશ મેળાની તારીખો પણ નક્કી કરવામાં આવી હતી.

અહીં યોગી આદિત્યનાથે કહ્યું કે, આપણા માટે સૌભાગ્યની વાત છે કે નાથ સંપ્રદાય સૌથી પ્રાચીન સંપ્રદાયોમાંથી એક છે. યોગી ચાંદનાથ મહારાજ લાંબા સમયથી આપણી સાથે નથી પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ નાથ સંપ્રદાયની વિશેષ પદ્ધતિ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, મહંત ચાંદનાથ મહારાજે ધર્મ, દેશ, સંપ્રદાય, જાહેર મૂલ્યો અને આદર્શોની વ્યવસ્થાને આગળ વધારવાનું કામ કર્યું છે.
અહીં યોગી આદિત્યનાથે એક કિસ્સો સંભળાવતા કહ્યું કે, તે બે વર્ષ પહેલા અયોધ્યા ગયા હતા. સવારે 3-4 વાગ્યાની વચ્ચે જ્યારે મેં મારી આંખ ખોલી તો મેં જોયું કે કોઈનો અવાજ આવી રહ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે બદ્રીનાથમાં સિદ્ધ બાબા સુંદરનાથજી દેખાઈ રહ્યા છે. બીજા જ દિવસે તેઓ બદ્રીનાથ ધામ ગયા અને ત્યાં જોયું કે મંદિરની પાછળ સિદ્ધ બાબા સુંદરનાથની ગુફા હયાત છે.
યોગીએ કહ્યું કે, ત્યાં જઈને ગુફાના રિનોવેશનનું કામ કરાવ્યું. નાથ સંપ્રદાયનો કોઈપણ અનુયાયી ભારતના કોઈપણ ખૂણામાં જાય તો તેને દરેક જગ્યાએ નાથ સંપ્રદાયના યોગેશ્વર જોવા મળશે.
અહીં યોગીએ કહ્યું કે, કોઈએ સનાતન ધર્મનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. નાથ સંપ્રદાયના ઉપદેશોને અનુસરીને સફળતા તરફ આગળ વધો. મહંત ચાંદનાથ યોગીએ પૂજ્ય ગુરુદેવ શ્રેયનાથ પાસેથી શિક્ષણ, ચિકિત્સા અને અધ્યાપન ક્ષેત્રે જે કંઈ મેળવ્યું તેને આધાર બનાવીને જીવનના અનેક નોંધપાત્ર કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું છે.
તેમણે આગળ જણાવ્યુ કે, લાયક શિષ્યને લાયક શિક્ષક પાસેથી વારસો મળે છે. આ પરંપરાને અનુસરીને વર્તમાન મહંત અને અલવરના સાંસદ મહંત બાલકનાથ યોગી તેમના ગુરુ ચાંદનાથ યોગીના માર્ગ પર ચાલીને શિક્ષણ, ચિકિત્સા અને આધ્યાત્મિકતામાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
