For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણાના નવા 'કેજરીવાલ' તરીકે વી. કે. સિંહ તૈયાર

|
Google Oneindia Gujarati News

vk singh
નવી દિલ્હી, 2 નવેમ્બર: અણ્ણાના નવા 'કેજરીવાલ' અને પૂર્વ આર્મી ચીફ જનરલ વી કે સિંહે યુપીએ સરકાર પર દબાણ લાવવાની રણનીતિ રચવાની શરૂ કરી દીધી છે.

સિંહના ઉત્સાહથી લાગે છે કે અણ્ણાના આંદોલનમાંથી છૂટા પડેલા કેજરીવાલની ખોટ તેઓ પૂરી શકશે. આજે સિંહે 4 ડિસેમ્બરના રોજ સંસદને ઘેરવાની જાહેરાત કરી દીધી છે.

શેરડીના ઉત્પાદકો પર પડનારી મારને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે સિંહે સંસદને ઘેરવાની યોજના બનાવી છે. હજી સુધી સંસદનું ઓછામાં ઓછો ભાવ જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોને નજીવા ભાવે શેરડી વેચવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમણે આ અંગે પ્રધાનમંત્રીને પહેલા પણ પત્ર લખી ચૂક્યા છે.

હાલમાં જ અણ્ણા હજારે અને જનરલ વી. કે. સિંહે સાથે મળીને સંસદને ભંગ કરવાની માંગ કરી હતી. સિંહે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે હાલની સંસદ લોકોનો વિશ્વાસ ગૂમાવી ચૂકી છે માટે તેને ભંગ કરવી જોઇએ અને સત્તા અને વિપક્ષ બંનેએ જનતાનો સામનો કરવો જોઇએ.

English summary
Former Army chief VK Singh on Friday backed a farmers body's demand for rejection of the Rangarajan Committee report on freeing the sugar sector and threatened to gherao Parliament next month if it is not met.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X