Exit Poll Vs Opinion Poll : એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું ફરક હોય છે? જાણો બન્ને કેવી રીતે થાય છે?
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં આજે તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમના એક્ઝિટ પોલ આજે સાંજે 6.30 વાગ્યે આવશે.
એક્ઝિટ પોલ ક્યા રાજ્યમાં કયો પક્ષ જીતશે તેનો અંદાજ આપે છે. એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામોનું સ્પષ્ટ ચિત્ર આપે છે, જો કે કેટલીકવાર એક્ઝિટ પોલ ખોટા પણ સાબિત થાય છે.

ઘણા લોકો જાણવા માંગે છે કે એક્ઝિટ પોલ શું છે? મતગણતરી પહેલા પરિણામોની સચોટ આગાહી કેવી રીતે કરી શકાય? એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચે શું તફાવત છે?
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચેનો તફાવત
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે ચૂંટણી પહેલા ઓપિનિયન પોલ કરાય છે. જ્યારે મતદાન પછી તરત જ એક્ઝિટ પોલ આવે છે.
એક્ઝિટ પોલમાં માત્ર મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. આમાં ફક્ત તે જ લોકોને સામેલ કરવામાં આવે છે જે મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર આવે છે. તો ઓપિનિયન પોલમાં તમામ લોકોને સામેલ કરવામાં આવે છે. પછી ભલે તે મતદાર હોય કે ન હોય.
એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોએ કઈ પાર્ટીને કેટલો મત આપ્યો છે. જ્યારે ઓપિનિયન પોલમાં મુખ્ય ચૂંટણી મુદ્દાઓ પર જનતાનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે.
મતદાન પૂર્ણ થયા પછી જ એક્ઝિટ પોલનું પ્રસારણ થાય છે. જ્યારે મતદાન પહેલા ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવે છે.
એક્ઝિટ પોલ શું છે?
એક્ઝિટ પોલ એક પ્રકારનો ચૂંટણી સર્વે છે. જેમાં મતદાનના દિવસે મતદાન કર્યા પછી મતદાન મથક પર મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમને પૂછવામાં આવે છે કે તેઓએ કઈ પાર્ટીને મત આપ્યો?
એક્ઝિટ પોલ સર્વે એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો દ્વારા કરવામાં આવે છે. મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્નો પૂછ્યા પછી સર્વેક્ષણ ટીમ તેનું વિશ્લેષણ કરે છે અને તેના આધારે ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવે છે. ગાણિતિક મોડલના આધારે નક્કી કરવામાં આવે છે કે દરેક પક્ષને કેટલી બેઠકો મળી રહી છે.
ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલ કરાવે છે. મજબૂત એક્ઝિટ પોલ માટે 30 થી 35 હજારથી લઈને એક લાખ મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે.
ઓપિનિયન પોલ શું છે?
ઓપિનિયન પોલ પણ ચૂંટણી સર્વેનો એક પ્રકાર છે. જે સર્વે એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો મતદાન પહેલા કરે છે.
ઓપિનિયન પોલમાં તમે કોઈપણને તેમના અભિપ્રાય પૂછી શકાય છે. આમાં જનતાને પૂછવામાં આવે છે કે તેમને શું લાગે છે કે કઈ પાર્ટી જીતી રહી છે? ઓપિનિયન પોલમાં ચૂંટણીના મુદ્દાઓની ચર્ચા થાય છે. તમે તેને પ્રી-પોલ પણ કહી શકો છો.
ચૂંટણી સર્વેના ત્રણ પ્રકાર
પ્રી પોલ : તમે પ્રી પોલને ઓપિનિયન પોલ પણ કહી શકો છો. આ સર્વે ચૂંટણીની તારીખોની જાહેરાત પછીથી લઈને મતદાન શરૂ થાય તે પહેલા સુધી કરવામાં આવે છે.
એક્ઝિટ પોલ : આ સર્વે મતદાન પૂર્ણ થયા પછી તે જ દિવસે સાંજે હાથ ધરવામાં આવે છે. આ મતદાન મથકની બહાર કરવામાં આવે છે.
પોસ્ટ પોલ : આ સર્વે મતદાન પૂર્ણ થયા પછી કરવામાં આવે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
