ફેસબુક ગર્લ શાહિને મહારાષ્ટ્ર છોડ્યું, લીધી ગુજરાતની શરણ

કહેવામાં આવે છે કે શિવ સૈનિકોના આક્રમક વલણને જોતાં શાહીન ઢાડા અને તેના પરિવારે મહારાષ્ટ્ર છોડવાનો નિર્ણય કર્યો છે. શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના અવસાન બાદ પાલઘરની રહેવાસી શાહીન ઢાડા નામની છોકરીએ ફેસબુક પર કોમેન્ટ કરી હતી. ત્યારબાદ શિવસૈનિકોએ તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના સંબંધીના નર્સિંગ હોમમાં તોડફોડ કરી હતી.
પોલીસે શાહીન ઢાડા અને તેની બહેનપણીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આખા દેશમાં મહારાષ્ટ્ર સરકાર અને પોલીસની નિંદા થવા લાગી તો બંનેને છોડી મુકવામાં આવી.
આ કેસની તપાસ કોંકણ આઇજીને સોંપવામાં આવી હતી. અને આઇજી દ્રારા સોંપવામાં આવેલા રિપોર્ટના આધારે થાણેના એસપી રવિન્દ્ર શેગાવકરને સસ્પેંડ કરવામાં આવ્યા હતા તથા પાલઘર પોલીસ સ્ટેશનના ઇસ્પેક્ટર શ્રીકાંત પિંગલેને સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. જ્યારે શિવસેનાએ કાર્યવાહી કરનાર પોલીસવાળાઓનો બચાવ કર્યો અને કહ્યું હતું કે શાહીન ઢાડાની કોમેન્ટની કારણે રાજ્યમાં સ્થિતી ખરાબ થઇ શકતી હતી. માટે પોલીસે ઠીક કામ કર્યું છે.
શિવસેનાએ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાના વિરોધમાં પાલઘર બંધ રાખ્યું હતું. આ કેસમાં છોકરીઓને 15-15 હજારના જામીનખત આપનાર જજ રામચંદ્ર બાગડેની પણ બદલી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
