ફેક્ટ ચેકઃ શાકભાજી વેચનારા ફેલાવી રહ્યા છે કોવિડ-19, જાણો ઑડિયો ક્લિપના દાવાનુ સત્ય
સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાકભાજી વેચનારા કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાવી રહ્યા છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાકભાજી વેચનારા કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાવી રહ્યા છે. ક્લિપમાં કહેવામાં આવી રહ્યુ છે કે શાકભાજી વિક્રેતાઓ ફળ અને શાકભાજીને ચાટીને કે તેના પર થૂંક લગાવીને વાયરસ ફેલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ક્લિપ સંપૂર્ણપણે નકલી છે. આ સાથે જ આવી નકલી ક્લિપે એ લોકો માટે (ફળ, શાકભાજી વિક્રેતા) પણ મુશ્કેલી વધારી દીધી છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકો સુધી જરૂરિયાતનો સામાન પહોંચાડી રહ્યો છે.

ખોટી માહિતીના કારણે ભેદભાવનો સામનો
આરોગ્ય મંત્રાલયે પણ કહ્યુ છે કે જે લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે અથવા જે આ વાયરસ સામે લડાઈ માટે કામ કરી રહ્યા છે, જેવા કે પોલિસકર્મી, ડૉક્ટર અને સફાઈકર્મી, આ લોકોને પણ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ખોટી માહિતીના કારણે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં સુધી કે જે લોકો કોરોન વાયરસથી સંક્રમિત હતા અને હવે ઠીક થઈ ચૂક્યા છે તેમને પણ આવી નકલી પોસ્ટના કારણે ભેદભાવ સહન કરવો પડી રહ્યો છે. જો કે નકલી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

સેવાકર્મીઓને સમર્થનની જરૂર
આ મુશ્કેલ સમયમાં વાયરસને ફેલાતો રોકવા માટે સરકારે દેશવ્યાપી લૉકડાઉન લગાવ્યુ છે. જેના કારણે લોકો પોતપોતાના ઘરોમાં બંધ છે. વાયરસથી બચવાનો આ જ સૌથી મોટો રસ્તો છે. પરંતુ એવામાં અમુક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશની સેવા કરી રહ્યા છે. પોલિસકર્મી, ડૉક્ટર્સ, નર્સિસ અને સફાઈકર્મી લોકોની જિદગી બચાવવા માટે પોતાના ઘરોમાંથી બહાર છે અને દેશવાસીઓની સેવામાં લાગેલા છે આ બધાને અત્યારે સમર્થનની જરૂર છે.

લડાઈ નબળી પડી રહી છે
આરોગ્ય મંત્રાલયે એ પણ કહ્યુ છે કે જરૂરી સેવા આપનારાઓ અને તેમના પરિવારોને ટાર્ગેટ કરવાથી કોરોના વાયરસ સામે અમારી લડાઈ નબળી પડી રહી છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે દેશમાં કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં 199 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 6412 થઈ ગઈ છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
