ફેક્ટ ચેકઃ શાકભાજી વેચનારા ફેલાવી રહ્યા છે કોવિડ-19, જાણો ઑડિયો ક્લિપના દાવાનુ સત્ય
સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાકભાજી વેચનારા કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાવી રહ્યા છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાકભાજી વેચનારા કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાવી રહ્યા છે. ક્લિપમાં કહેવામાં આવી રહ્યુ છે કે શાકભાજી વિક્રેતાઓ ફળ અને શાકભાજીને ચાટીને કે તેના પર થૂંક લગાવીને વાયરસ ફેલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ક્લિપ સંપૂર્ણપણે નકલી છે. આ સાથે જ આવી નકલી ક્લિપે એ લોકો માટે (ફળ, શાકભાજી વિક્રેતા) પણ મુશ્કેલી વધારી દીધી છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકો સુધી જરૂરિયાતનો સામાન પહોંચાડી રહ્યો છે.

ખોટી માહિતીના કારણે ભેદભાવનો સામનો
આરોગ્ય મંત્રાલયે પણ કહ્યુ છે કે જે લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે અથવા જે આ વાયરસ સામે લડાઈ માટે કામ કરી રહ્યા છે, જેવા કે પોલિસકર્મી, ડૉક્ટર અને સફાઈકર્મી, આ લોકોને પણ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ખોટી માહિતીના કારણે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં સુધી કે જે લોકો કોરોન વાયરસથી સંક્રમિત હતા અને હવે ઠીક થઈ ચૂક્યા છે તેમને પણ આવી નકલી પોસ્ટના કારણે ભેદભાવ સહન કરવો પડી રહ્યો છે. જો કે નકલી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

સેવાકર્મીઓને સમર્થનની જરૂર
આ મુશ્કેલ સમયમાં વાયરસને ફેલાતો રોકવા માટે સરકારે દેશવ્યાપી લૉકડાઉન લગાવ્યુ છે. જેના કારણે લોકો પોતપોતાના ઘરોમાં બંધ છે. વાયરસથી બચવાનો આ જ સૌથી મોટો રસ્તો છે. પરંતુ એવામાં અમુક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશની સેવા કરી રહ્યા છે. પોલિસકર્મી, ડૉક્ટર્સ, નર્સિસ અને સફાઈકર્મી લોકોની જિદગી બચાવવા માટે પોતાના ઘરોમાંથી બહાર છે અને દેશવાસીઓની સેવામાં લાગેલા છે આ બધાને અત્યારે સમર્થનની જરૂર છે.

લડાઈ નબળી પડી રહી છે
આરોગ્ય મંત્રાલયે એ પણ કહ્યુ છે કે જરૂરી સેવા આપનારાઓ અને તેમના પરિવારોને ટાર્ગેટ કરવાથી કોરોના વાયરસ સામે અમારી લડાઈ નબળી પડી રહી છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે દેશમાં કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં 199 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 6412 થઈ ગઈ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
