For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: દિલ્હી વિધાનસભામાં સીએમ કેજરીવાલની ખેડૂત આગેવાનો સાથે બેઠક

Farmers Protest: દિલ્હી વિધાનસભામાં સીએમ કેજરીવાલની ખેડૂત આગેવાનો સાથે બેઠક

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભામા કૃષિ કાયદાને લઈ ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં દિલ્હી સહિત આંદોલનમાં સામેલ ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ સામેલ છે. બેઠકમાં ખેતી પર ચર્ચા સાથે કૃષિના ભવિષ્ય પર વાત થઈ રહી છે. જ્યારે ત્રણેય કૃષિ કાયદાને લઈ આમ આદમી પાર્ટીની આગળની રણનીતિ શું રહેશે કદાચ તેના પર પણ ચર્ચા થઈ શકે છે.

arvind kejariwal

વિધાનસભામાં ચાલી રહેલી AAP અને ખેડૂત નેતાઓની બેઠકમાં દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી કૈલાશ ગહલોત અને રાજેન્દ્ર પાલ ગૌતમ સાથે રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ બેઠકમાં હાજર છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરૂથી જ ખેડૂત આંદોલન સાથે ઉભા જોવા મળી રહ્યા છે. ધરણા સ્થળે સીએમ કેજરીવાલ સહિત ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ કેટલીય વખત જઈ ચૂક્યા છે. પ્રદર્શનકારી ખેડૂતોના ધરણા સ્થળે પણ તમામ પ્રકારની સુવિધાઓ પણ કેજરીવાલ સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નોંધનીય છે કે દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલનને 88મો દિવસ થઈ રહ્યો છે. કૃષિ કાયદાને રદ્દ કરવા અને એમએસપી પર કાયદો બનાવવાની માંગ પર ખેડૂતો અડગ છે. જો કે સરકાર અને ખેડૂત સંગઠનોમાં 11 તબક્કાની વાર્તા થઈ ચૂકી છે, પરંતુ કોઈપણ પરિણામ નથી નિકળ્યું. જે બાદ ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ચક્કાજામ આંદોલન કર્યું હતું અને હાલમાં 20 ફેબ્રુઆરીએ દેશવ્યાપી રેલ રોકો આંદોલન દ્વારા સરકારના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

કેજરીવાલ સરકારના 4 ફેસલાથી દિલ્હી પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધીકેજરીવાલ સરકારના 4 ફેસલાથી દિલ્હી પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી

English summary
Farmers Protest: CM Kejriwal's meeting with farmer leaders in Delhi Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X