Final Year Exams: દેશની 755 યુનિવર્સિટીઓએ મોકલ્યો જવાબ, UGCએ પરીક્ષાને ગણાવી જરૂરી
યુજીસીએ પોતાના લેટેસ્ટ નિવેદનમાં કહ્યુ છે કે પરીક્ષા શિક્ષણ વ્યવસ્થાનુ અભિન્ન અંગ હોય છે
વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ(યુજીસી)એ હાલમાં જ ફાઈનલ યરની પરીક્ષાઓ વિશે ગાઈડલાઈન જારી કરી હતી જેેના કારણે વિશ્વવિદ્યાલયોમાં અસમંજસની સ્થિતિ હતી કે પરીક્ષા કરાવવાની છે કે પછી નહિ. હવે યુજીસીએ પોતાના લેટેસ્ટ નિવેદનમાં કહ્યુ છે કે પરીક્ષા શિક્ષણ વ્યવસ્થાનુ અભિન્ન અંગ હોય છે જેનાથી એ માલુમ પડે છે કે છાત્રએ કેટલુ શીખ્યુ છે. માટે તેનુ આયોજન જરૂરી છે. પોતાની ગાઈડલાઈન જારી કર્યા બાદ યુજીસીએ આ બાબતે વિશ્વવિદ્યાલયોનું મંતવ્ય માંગ્યુ હતુ જેમાં મોટાભાગના વિશ્વવિદ્યાલયો 30 સપ્ટેમ્બરની ડેડલાઈન પહેલા પરીક્ષા કરાવવાના પક્ષમાં દેખાઈ રહ્યા છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પરીક્ષા કરાવવાની યોજના
યુજીસી સચિવે એક નિવેદનમાં કહ્યુ કે 945 વિશ્વવિદ્યાલયોમાંથી 755 (120 ડિમ્ડ વિશ્વ વિદ્યાલય, 274 ખાનગી વિશ્વવિદ્યાલય,40 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયઅને 321 રાજ્ય વિશ્વવિદ્યાલય)નો જવાબ મળ્યો છે. જેમાંથી 560 વિશ્વવિદ્યાલય પરીક્ષા કરાવી ચૂક્યા છે અથવા તેની યોજના બનાવી રહ્યાછે. 560માંથી 194 વિશ્વવિદ્યાલય પરીક્ષા કરાવી ચૂક્યા છે અને બાકીના 366 ઑફલાઈન/ઑનલાઈન મોડથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પરીક્ષા કરાવવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત 27 વિશ્વવિદ્યાલય જે 2019-20માં સ્થાપિત થયા છે, તેમની પહેલી બેચ પરીક્ષા આપવા માટે યોગ્ય નથી.

બધી ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી
જો કે વિશ્વવિદ્યાલયોએ પરીક્ષાનુ આયોજન કરતી વખતે કોવિડ-19થી બચાવ માટે જારી બધી ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે. યુજીસીએ 8 જુલાઈએ વિશ્વવિદ્યાલયોને એચઆરડી મંત્રાલયના સૂચન પર પરીક્ષા માટે એસઓપી પર વાત કરી હતી. ત્યારબાદ હવે વિશ્વવિદ્યાલયોએ જવાબ આપવાનુ શરૂ કરી દીધુ છે.

પરીક્ષામાં છાત્રોનુ પ્રદર્શન મહત્વ
યુજીસી સચિવે એ પણ કહ્યુ છે કે પરીક્ષામાં છાત્રોનુ પ્રદર્શન તેમના જીવનભર માટે વિશ્વસનીયતા આપે છે. તેને દુનિયાભરમાં એડમિશન લેવા માટે મહત્વનુ માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કૉલરશિપ, અવૉર્ડ, પ્લેસમેન્ટ માટે પણ પરીક્ષામાં છાત્રોનુ પ્રદર્શન મહત્વ ધરાવે છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, હૉંગકૉંગ અને અન્ય દેશોમાં સ્થિત પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય પરીક્ષાઓનુ આયોજન કરી રહ્યા છે. જેમાં છાત્રોને પરીક્ષા આપવા માટે કોઈ વિકલ્પ પણ આપવામાં આવી રહ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
