Photo : વૈષ્ણો દેવીની યાત્રા સરળ બનાવશે કટરા સ્ટેશન
ઉધમપુર, 2 જુલાઇ : હિન્દુઓના ધાર્મિક યાત્રા સ્થાન માતા વૈષ્ણોદેવીની યાત્રાને સરળ બનાવી દેતી ઉધમપુર-કટરા રેલવે લાઇનની શરૂઆત અંદાજે 18 વર્ષ પહેલા કરવામાં આવી હતી. યાત્રાળુઓની 18 વર્ષ લાંબી રાહ હવે ખતમ થવા આવી છે. ઉધમપુર-કટરા રેલવે લાઇનનો ટ્રાયલ રન 1 જુલાઇએ કરવામાં આવ્યો હતો. હવે આગામી 4 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલવે લાઇનનું ઉદઘાટન કરવાના છે. તેમની સાથે રેલવે પ્રધાન સદાનંદ ગૌડા પણ ઉદઘાટનમાં સામેલ થવાના છે.
આ બહુપ્રતિક્ષિત રેલવે લાઇનના ઉદઘાટનની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. આ રેલવે લાઇનની ખાસિયત એ છે કે માત્ર 25 કિલોમીટરનું અંતર પુરું કરવા માટે ટ્રેનને 50 પુલો અને 10 ટનલમાંથી પસાર થવું પડે છે. તેમાંથી સૌથી ઊંચો પુલ કુતુબ મિનાર કરતા પણ ઊંચો છે. તેની ઊંચાઇ 85 મીટરની છે.
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 100 એન્જિનીયર્સે દિવસ-રાત મહેનત કરી છે. આ પ્રોજેક્ટના ચીફ એન્જીનિયર સંદીપ ગુપ્તા છે. કટરા રેલવે સ્ટેશનની સાથે IRCTC દ્વારા 3 સ્ટાર ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.
આવો જોઇએ એક ઝલક...
1
રાત્રિ દરમિયાન કટરા રેલવે સ્ટેશન
2
રેલવે સ્ટેશનની અંદરનો નજારો
3
આ છે કટરા રેલવે સ્ટેશનનો મુખ્ય પ્રવેશ દ્વાર
4
કટરા રેલવે સ્ટેશનનું વિહંગમ દ્રશ્ય
5
કટરા-ઉધમપુર રેલવે લાઇન પરથી પસાર થતી ટ્રેન
6
કટરા રેલવે સ્ટેશન
7
કટરા રેલવે સ્ટેશન પર આવેલી ટ્રાયલ ટ્રેન
8
કટરા રેલવે સ્ટેશન પર આદુનિક સુવિધાઓ છે
9
કટરા રેલવે સ્ટેશન પાસે આવેવું irctcના ગેસ્ટ હાઉસનું રિસેપ્શન
10
આઇઆરસીટીસીનું ગેસ્ટ હાઉસ
11
રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારમાંથી બહારનું પરિસર
12
ટનલની તસવીર
13
રેલવે બ્રિજનું દ્રશ્ય
14
રેલવે ટનલ
15
નવી રેલવે લાઇનને જોઇને ખુશ થતા સ્થાનિક બાળકો