અન્ન સુરક્ષા વિધેયક આજે રાજ્યસભામાં પસાર કરાશે

અન્ન સુરક્ષા કાર્યક્રમથી રાજકોષીય ખોટ વધવાની આશંકાઓને રદીયો આપતા કેન્દ્રીય ખાદ્ય મંત્રી કે.વી. થૉમસે જણાવ્યું કે આનાથી આવનાર એક વર્ષ દરમિયાન સરકારી ખજાના પર માત્ર 10,000 કરોડ રૂપિયાનું વધારાનો સબસિડી ભાર પડશે. તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકિય વર્ષ 2013-14ના બજેટમાં અન્ન સબસિડી માટે 90,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ આવનારા કેટલાક મહિનામાં લાગુ કરવામાં આવશે, જેના પગલે સબસિડીનું ભારણ મર્યાદીત રહેશે.
ભાકપા નેતા ડી. રાજાએ પત્રકારોને જણાવ્યું કે અમે સોમવારે મહત્વપૂર્ણ અન્ન સુરક્ષા વિધેયકમાં સંશોધન રજૂ કરીશું અને આશા રાખીશું કે તેને સ્વીકૃતિ મળે. સાર્વજનીક વિતરણ પ્રણાલીને સાર્વભૌમિક બનાવવા પર ભાર આપતા તેમણે જણાવ્યું કે આમાં પોષક તત્વોનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે સાર્વજનિક વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થીત અને સાર્વભૌમિક બનાવવું જોઇએ. તેના દરેક પાસાઓ પર વિચાર થવો જોઇએ.
રાજાએ જણાવ્યું કે અન્ન સુરક્ષા વિધેયકથી રાજ્યોના નાણા અધિકારો પર પ્રતિકૂળ પ્રભાવ ના પડવો જોઇએ. તેમણે જણાવ્યું કે કેન્દ્ર દ્વારા રાજ્યોને મળનારી અન્નની માત્રામાં ઘટાડો ના થવો જોઇએ. ડોલરના મુકાબલે રૂપિયાની કિંમત ઘટવાને લઇને તેમણે જણવાવ્યું કે આપણે આજે જે કઇપણ જોઇ રહ્યા છીએ તે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની વિનાશકારી આર્થિક નીતિઓનું પરિણામ છે. તે અર્થવ્યવસ્થાને સંભાળવામાં અસફળ રહી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
