For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહે ચિઠ્ઠી લખીને રાષ્ટ્રપતિને કરી પ્રધાનમંત્રી મોદીની ફરિયાદ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેમણે પીએમ મોદીની 'ધમકીભરી ભાષા' પર સવાલો ઉભા કર્યા છે. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં મનમોહન સિંહે કહ્યુ કે પીએમ મોદી કોંગ્રેસ પાર્ટી કે પછી બીજી પાર્ટીઓના નેતાઓ અંગે ધમકીભરી અને ડરામણી ભાષાનો ઉપયોગ કરે છે. આવી ભાષાનો ઉપયોગ એક પ્રધાનમંત્રી માટે ઠીક નથી.

manmohan

પૂર્વ પીએમ મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. મનમોહન સિંહે પોતાના પત્રમાં પીએમ મોદીના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસને 'લેવાના દેવા પડી જશે.' ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 મે ના રોજ હુબલીમાં ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે, "કોંગ્રેસના નેતા કાન ખોલીને સાંભળી લો, જો સીમાઓ પાર કરી તો, આ મોદી છે, લેવાના દેવા પડી જશે." મનમોહન સિંહે પોતાની ચિઠ્ઠીમાં પીએમ મોદીના આ નિવેદનનો ઉલ્લેખ કર્યો છે.

મનમોહન સિંહે પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ કે દેશના પ્રધાનમંત્રીને કોઈની સામે આવી ભાષાનો ઉપયોગ ના કરવો જોઈએ. મનમોહન સિંહના આ પત્રમાં તેમની સાથે સાથે ઘણા મોટા કોંગ્રેસી નેતાઓના હસ્તાક્ષર છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. હવે બધા પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા મનમોહન સિંહે રાષ્ટ્રપતિને પત્ર લખીને પીએમ મોદીની ભાષા પર સવાલો ઉભા કર્યા છે.

English summary
former pm manmohan singh write president about pm narendra modi threatening language
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X