મનમોહન સિંહે ચિઠ્ઠી લખીને રાષ્ટ્રપતિને કરી પ્રધાનમંત્રી મોદીની ફરિયાદ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખી છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેમણે પીએમ મોદીની 'ધમકીભરી ભાષા' પર સવાલો ઉભા કર્યા છે. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં મનમોહન સિંહે કહ્યુ કે પીએમ મોદી કોંગ્રેસ પાર્ટી કે પછી બીજી પાર્ટીઓના નેતાઓ અંગે ધમકીભરી અને ડરામણી ભાષાનો ઉપયોગ કરે છે. આવી ભાષાનો ઉપયોગ એક પ્રધાનમંત્રી માટે ઠીક નથી.

પૂર્વ પીએમ મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. મનમોહન સિંહે પોતાના પત્રમાં પીએમ મોદીના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસને 'લેવાના દેવા પડી જશે.' ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 મે ના રોજ હુબલીમાં ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે, "કોંગ્રેસના નેતા કાન ખોલીને સાંભળી લો, જો સીમાઓ પાર કરી તો, આ મોદી છે, લેવાના દેવા પડી જશે." મનમોહન સિંહે પોતાની ચિઠ્ઠીમાં પીએમ મોદીના આ નિવેદનનો ઉલ્લેખ કર્યો છે.
મનમોહન સિંહે પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ કે દેશના પ્રધાનમંત્રીને કોઈની સામે આવી ભાષાનો ઉપયોગ ના કરવો જોઈએ. મનમોહન સિંહના આ પત્રમાં તેમની સાથે સાથે ઘણા મોટા કોંગ્રેસી નેતાઓના હસ્તાક્ષર છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. હવે બધા પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા મનમોહન સિંહે રાષ્ટ્રપતિને પત્ર લખીને પીએમ મોદીની ભાષા પર સવાલો ઉભા કર્યા છે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
